મોઈન કુરેશી કેસમાં સતીશ સના બાબૂની ધરપકડ કરી, રાકેશ અસ્થાના પર લાંચનો આરોપ લગાવ્યો હતો
મોઈન કુરેશી કેસમાં સતીશ સના બાબૂની ધરપકડ કરી, રાકેશ અસ્થાના પર લાંચનો આરોપ લગાવ્યો હતો
નવી દિલ્હીઃ મોઈન કુરેશી કેસમાં સતીશ સના બાબૂની ઈડીએ ધરપકડ કરી છે. દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. સતીશ સના બાબૂએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રહેલ રાકેશ અસ્થાના પર 5 કરોડ રૂપિયાનો લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. રિશ્વતના આરોપો બાદ સીબીઆઈમાં ખુલ્લમ ખુલ્લા ગતિરોધ શરૂ થયો. જે બાદ નિદેશક આલોક વર્મા અને રાકેશ આસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા. રાકેશ અસ્થાનાએ હંમેશા કહ્યું કે સના સતીશ બાબૂ મોઈન કુરેશીના ભ્રષ્ટાચારનો ભાગ હતો.
હૈદરાબાદના વ્યવસાયી સતીશ બાબૂ પર મોઈન કુરૈશીથી 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. જેનો પ્રભાવી રૂપે મતલબ છે કે સીવીસી અને પીએમઓ સમક્ષ રાકેશ અસ્થાના દ્વારા દાખલ તમામ ફરિયાદ વાસ્તવિક હતી અને તત્કાલીન ડીસીબીઆઈ આલોક વર્મા અને ભ્રષ્ટાચાર નિરોધક એકમ-3 તેને એક ફેક ભ્રષ્ટાચારના મામલે ફસાવવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે કુરૈશીનું નામ સૌથી પહેલા વર્ષ 2014માં ત્યારે સામે આવ્યું હતું જ્યારે માલૂમ પડ્યું કે 15 મહિનામાં કુરૈશી ઓછામાં ઓછા 70 વખત તત્કાલિન સીબીઆઈ નિદેશક રંજીત સિન્હાના ઘર પર હાજરી લગાવી હતી.
સીબીઆઈએ 15 ઓક્ટોબરે સતીશ સના બૂબૂથી કથિત રૂપે બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આરોપ છે કે માંસ કારોબારી મોઈન કુરેશીના મામલાને રફાદફા કરવા માટે બે વચેટિયા મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદના માધ્યમથી બે કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી. આ મામલે મનોજ પ્રસાદની ધરપકડ 16 ઓક્ટોબરે કરાઈ હતી પરંતુ નવેમ્બર 2018માં કોર્ટે તેને જમાનત આપી દીધી હતી.
ઘાટીમાં વધુ 10,000 જવાનોની તૈનાતી પર શાહ ફૈઝલે કહ્યુ, 'કંઈ મોટુ થવાનુ છે'