ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી, જાણો શું છે પુરો કેસ?
ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, તેમના પર આ કાર્યવાહી 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજુ કરાશે. નરેશન ગોયલને ઈડી અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

જણાવી દઈએ કે, તે આ પહેલા બે વખત ED સમક્ષ હાજર નહોતા થયા. EDના અધિકારીઓ તેમને પૂછપરછ માટે મુંબઈ લાવ્યા હતા. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અહીં એ પણ જણાવી દઈએ કે, નરેશ ગોયલ વિરુદ્ધનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI ની FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા
.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા છે. જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, લગભગ 25 વર્ષ ચાલ્યા બાદ જેટ એરવેઝ એપ્રિલ 2019 માં બંધ થઈ ગઈ હતી. જેટ એરવેઝ દેવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.












Click it and Unblock the Notifications
