ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી, જાણો શું છે પુરો કેસ?
ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, તેમના પર આ કાર્યવાહી 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજુ કરાશે. નરેશન ગોયલને ઈડી અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

જણાવી દઈએ કે, તે આ પહેલા બે વખત ED સમક્ષ હાજર નહોતા થયા. EDના અધિકારીઓ તેમને પૂછપરછ માટે મુંબઈ લાવ્યા હતા. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અહીં એ પણ જણાવી દઈએ કે, નરેશ ગોયલ વિરુદ્ધનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI ની FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા
.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા છે. જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, લગભગ 25 વર્ષ ચાલ્યા બાદ જેટ એરવેઝ એપ્રિલ 2019 માં બંધ થઈ ગઈ હતી. જેટ એરવેઝ દેવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
