PNBને કરોડોનો ચૂનો લગાવનાર કૌભાંડી મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત
PNBને કરોડોનો ચૂનો લગાવનાર કૌભાંડી મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત
પ્રવર્તન નિદેશાલયે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાગેડુ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીદી છે. દુબઈ સ્થિત ત્રણ સંપત્તિઓ પર પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની નજર હતી, જેની કિંમત 24 કરોડની આસપાસ છે. 13 હજાર કરોડ રૂપિયાના આ બેંક કૌભાંડનો સહ આરોપી મેહુલ ચોક્સી હાલ એન્ટીગુઆમાં રહી રહ્યો છે. ભારત સરકાર ભાગેડુ મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યર્પણની કોશિશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે મેહુલ ચોક્સી વિરુદધ દેશમાં જ નહિ વિદેશમાં પણ કાર્યવાહી થઈ રહી છે. હાલમાં જ એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ કરવાનું એલાન કર્યું હતું. તેમણે ભારતના દબાણમાં આ પગલું ઉઠાવ્યું હતું.

પીએનબી કૌભાંડ અંતર્ગત નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. આ મામલો 2018માં સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષે આ મુદ્દે મોદી સરકારને ઘેરી છે. જ્યારે મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ મામલે સરકારી સૂત્રોનું માનીએ તો ભારત હજુ એ ઈંતેજારમાં છે કે પહેલા એન્ટિગુઆની બધી જ કાનૂની પ્રક્રિયા ખતમ થઈ જાય. જે બાદ જ પોતાના સ્તર પર પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક કૌભાંડનો ખુલાસો 2018માં થયો હતો. આ કૌભાંડ 13000 કરોડ રૂપિયાનું છે. કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હીરા કારોબારી નીરવ મોદી હતો. કૌભાંડનો ખુલાસો થયા બાદ નીરવ મોદી આખા પરિવાર સાથે દેશ છોડી ભાગી ગયો. સાથે જ કૌભાંડનો સહ-આરોપી મેહુલ ચોક્સી પણ દેશમાંથી ભાગવામાં સફ રહ્યો. જે બાદ વિપક્ષે મોદી સરકાર પર ભારે નિશાન સાધ્યું અને સવાલ ઉઠાવ્યા કે નીરવ અને ચોક્સી કેવી રીતે ફરાર થઈ ગયા. પંજાબ નેશનલ બેંકના અધિકરીઓએ હીરા કારોબારી નીરવ મોદીને લેટર ઑફ અંડરટેકિંગ આપી દીધું. આ અંડરટેકિંગના આધારે નીરવના ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રની કેટલીય બેંકોથી પૈસા નીકાળ્યા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
