ગોડ્ડા, 8 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત એક અન્ય નેતા નિશિકાંત દૂબે પર આચાર સંહિતાનું ઉલ્લઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે દેવગઢ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની પાસે નરેન્દ્ર મોદી સહિત ઉમેદવાર નિશિકાંતની એક તસવીર લાગેલી છે. જોકે પોસ્ટરમાં પ્રિંટર અને પ્રકાશકનું નામ નથી.
આ મામલા બાદ ઉપ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ જેજે સમાંતાએ બંને નેતાઓની વિરુધ્ધ કેસ નોંધી લીધો છે. રાહતની વાત માત્ર એટલી છે કે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર, આવા પોસ્ટરો પર પ્રિંટર અને પ્રકાશનનું નામ હોવું જરૂરી છે. નહીંતર આવી ઘટનાઓને ચૂંટણીના સમયે વિરોધીઓનું ષડયંત્ર માની લેવામાં આવે છે.
Comments