Lok Sabha Elections 2024 : આચારસંહિતા ભંગ મામલે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ
Lok Sabha Elections 2024: ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે. ચૂંટણી પંચે બંને નેતાઓ પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત આચારસંહિતા ભંગની નોંધ લેતા આ નોટિસ જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાર્ટી પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 નો ઉપયોગ કરીને આ નોટિસ જાહેર કરી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ પંચમાં ફરિયાદ કરી હતી.
ચૂંટણી પંચે બંને ફરિયાદો પર ધ્યાન આપ્યા બાદ આ નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે બંને નેતાઓ પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.












Click it and Unblock the Notifications
