Painting in Pic: ન્યૂડ પેઇન્ટિંગ મહારથી કર્માકરનું નિધન
કલકત્તા, 25 ફેબ્રુઆરી: પ્રસિદ્ધ પેઇન્ટર પ્રોકાશ કર્માકરનું સોમવારે સાંજે નિધન થઇ ગયું છે. સંયોગની વાત એ છે કે ગઇકાલે તેમનો 81મો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. તેમના નિધનની જાણકારી તેમના પારિવારીક સૂત્રોએ આપી હતી. તે 81 વર્ષના હતા. પ્રોકાશ કર્માકરના ઘણા પેઇન્ટિંગ નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ, દિલ્હી સ્થિત લલિત કલા અકાદમી અને કલકત્તાના એકેડમી ઓફ ફાઇન આર્ટ્સનો સ્થાયી ભાગ છે.
પ્રોકાશ કર્માકર નગ્ન અને પ્રકૃતિ પર આધારિત પેઇન્ટિંગના મહારથી હતા, જે કામથી તેમને પ્રશંસા મળી હતી. તેમણે શહેરી, ગ્રામીણ જીવન અને પ્રકૃતિની તરફ પોતાના દ્રષ્ટિકોણને પણ પેઇન્ટિંગમાં સ્થાન આપ્યું હતું. કર્માકાર પિકાસો અને 19મી સદીના અન્ય મહાન કલાકારોથી પ્રેરિત હતા.
પ્રોકાશ કર્માકરનો જન્મ 24 ફેબ્રુઆરી 1933માં કલકત્તામાં થયો હતો. દેશની ઘણી આર્ટ ગેલેરીઓમાં તેમના પેઇન્ટિંગ સુશોભિત છે. આમ તો પ્રોકાશ કર્માકર પોતાની ન્યૂડ પેઇન્ટિંગ અને લેંડસ્કેપ માટે ઓળખાતા હતા. તેમની પેઇન્ટિંગની ખાસ વાત એ હતી કે તે પોતાની કલાથી તમામ એવા દ્રશ્યોને રજૂ કરતા હતા, જેમાં નિવસ્ત્ર આકૃતિઓમાં દર્દ ઉપસી આવતું હતું.

પ્રકૃતિ અને સમાજ
પ્રોકાશ કર્માકરની પેઇન્ટિંગ્સમાં પ્રકૃતિના રંગોની સાથે-સાથે સામાજિક પરિદ્રશ્ય પણ છુપાયેલું રહેતું હતું.

1968માં લલિક કલા એવોર્ડ
પ્રોકાશ કર્માકરને 1968માં લલિત કલા અકાદમી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

1970માં એવોર્ડ
1970માં પ્રોકાશ કર્માકરને રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી સન્માન અને 1976માં બિરલા એકેડમી ઓફ આર્ટ એન્ડ કલ્ચર કલકત્તા એવોર્ડ આપવામાં આવ્યો.

1996માં પુરસ્કાર
1996માં એઆઇએફએસીએસ એવોર્ડ, 2000માં પ્રોકાશ કર્માકરને અબાનિંદ્ર પુરસ્કારથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કાર પશ્વિમ બંગાળ સરકારે આપ્યો.

પ્રદર્શની
પ્રોકાશ કર્માકરે ઘણા સ્થળોએ એકલ પ્રદર્શની લગાવી અને તેમની પેઇન્ટિંગ્સને દુનિયાએ વખાણી.

પ્રોકાશ કર્માકરના રંગ
પ્રોકાશ કર્માકરની પેઇન્ટિંસમાં રંગોનો અનોખો સંગમ જોવા મળતો હતો.

ગામ અને શહેર બંને
પ્રોકાશ કર્માકરે પોતાના પેઇન્ટિંગ્સમાં ગામ અને શહેર બંનેને એક જીવનને રજૂ કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો.

પિકાસો એવોર્ડ
તેમણે શહેરી, ગ્રામીણ જીવન અને પ્રકૃતિની તરફના પોતાના દ્રષ્ટિકોણને પણ પેઇન્ટિંગમાં સ્થાન આપ્યું. તેમને પિકાસોના સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

ન્યૂડ પેઇન્ટિંગ મહારથી કર્માકરનું નિધન
ઇતિહાસ પર પેઇન્ટિંગમાં તેમને ઐતિહાસિક ચિત્રણ પણ કર્યું. જેમાં મોટાભાગે કાળા અધ્યાય પ્રસ્તુત કર્યા.

ફ્રાંસમાં મળી ફેલોશિપ
પ્રોકાશ કર્માકરની પેઇન્ટિંગ્સે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું. ફ્રાંસ સરકારે ખાસ કરીને કર્માકારને ફેલોશિપ પ્રદાન કરી.

પ્રકૃતિ અને સમાજ
પ્રોકાશ કર્માકરની પેઇન્ટિંગ્સમાં પ્રકૃતિના રંગોની સાથે-સાથે સામાજિક પરિદ્રશ્ય પણ છુપાયેલું રહેતું હતું.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ





Click it and Unblock the Notifications
