For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bandipora Encounter : બે આંતકીની મોત, 2 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરમાં સેના અને આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં બે આંતકીઓની મોત થઇ અને સેનાના બે જવાનો શહીદ થયા. ત્યારે આ અંગે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓની વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ બાંદીપુરામાં સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં પ્રાપ્ત જાણકારી મુજબ સેનાએ બે આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ પણ એન્કાઉન્ટર ચાલુ છે. જો કે હજી ઘટના સ્થળે કેટલા આતંકીઓ છે તે વાતની સ્પષ્ટતા નથી થઇ. તો બીજી તરફ આંતકીઓ સાથેના આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ શહીદ થયા છે. નોંધનીય છે કે સોમવારે પણ સેનાએ હિઝબુલના કમાન્ડર અને જૈશ એ મોહમ્મદના લીડર જાહિરને એન્કાઉન્ટરમાં મારી નાંખ્યો હતો. અને તે પહેલા 9 ઓક્ટોબરે એનકાઉન્ટરમાં જૈશ એ મહોમ્મદના કમાન્ડર ઉમર ખાલિદને પણ કાશ્મીરમાં સેના દ્વારા મારી નાંખવામાં આવ્યો હતો.

jammu kashmir army

જમ્મુ કાશ્મીર પોલીસના ડિજી એસપી વૈદે જણાવ્યું કે આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં સેના અને પોલીસને મોટી સફળતા મળી રહી છે. અમે સતત આંતકીઓ પર નજર બનાવી રાખી છે. અને અમે તેમના કાવતરાંને અંજામ આપવા નથી દેતા. તો બીજી તરફ આંકડા પર નજર કરીએ તો જાન્યુવારી મહિનાથી સેનાએ હિજબુલ મુઝાહિદ્દીન, લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદના એક ડઝન જેટલા આંતકીઓને મારી નાંખ્યા છે. જેમાં અબ્દૂલ કયૂમ નજર પણ સામેલ છે.

English summary
Jammu and Kashmir: Encounter between security forces and terrorists underway in Hajin area of Bandipora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X