અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓનો સફાયો કરવાની તૈયારી કરી લીધી છે. એક પછી એક કરીને આતંકીઓનો ઘાટીમાં સફાયો કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓનો સફાયો કરવાની તૈયારી કરી લીધી છે. એક પછી એક કરીને આતંકીઓનો ઘાટીમાં સફાયો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સેનાને ખૂફિયા માહિતી મળી કે અનંતનાગના વઘામા વિસ્તારમાં બે આતંકી છૂપાયા હોઈ શકે છે ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ.

સુરક્ષાબળોએ થોડા કલાકોની અંદર જ બંને આતંકીઓને ઠાર માર્યા. જમ્મુ કાશ્મીરના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકીઓએ ત્રણ દિવસ પહેલા સીઆરપીએફના જવાન અને 5 વર્ષના બાળકની નિર્મમતાથી હત્યા કરી દીધી. સુરક્ષાબોએ બંને આતંકીઓને ઠાર માર્યા ગયા છે. અથડામણ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાબળો તરફથી વળતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે રસ્તા પરથી સવારથી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગયો હતો. આતંકીઓના માર્યા ગયા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર પોલિસ અને સેનાની સંયુક્ત કાર્યવાહીમાં વર્ષ 2020માં અત્યાર સુધી 116 આતંકીઓને ઠાર માર્યા છે. માત્ર જૂન મહિનામાં ઘાટીમાં 46 આતંકી માર્યા ગયા છે. સોમવારે સેનાએ અનંતનાગ વિસ્તારના ખુલછોહર વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, જેનાથી બે હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી હતા જ્યારે એક લશ્કર એ તૈયબાનો કમાંડર મસૂદ હતો.












Click it and Unblock the Notifications
