જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામા સ્થિત પૂછલમાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના પુલવામા સ્થિત પૂછલમાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં જમ્મુ કાશ્મીરની પોલિસ અને સેનાના જવાન શામેલ છે. કાશ્મીર ઝોનની પોલિસે જણાવ્યુ કે આ એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર મારવામાં આવી ચૂક્યા છે. વિસ્તારમાં સુરક્ષાકર્મી સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. જોવાની વાત એ છે કે છેલ્લા અમુક દિવસોથી સુરક્ષાકર્મીઓએ ઘાટીમાં આતંકીઓ સામે કાર્યવાહી તેજ કરી દીધી હતી.

વાસ્તવમાં જમ્મુ સ્થિત એરફોર્સ સ્ટેશન પર થોડા દિવસો પહેલા ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુરક્ષાકર્મી એલર્ટ પર છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. પોલિસ અને સુરક્ષાકર્મીઓને અભિનંદન. કોઈ ક્ષતિ વિના આ સફળ ઑપરેશનને અંજામ આપ્યો અને 5 આતંકવાદીઓને ઠાર માર્યા.












Click it and Unblock the Notifications
