ernakulam bomb blast: એર્નાકુલમમાં બે બોમ્બ બ્લાસ્ટમાં એકનું મોત, 20 ઘાયલ
ernakulam bomb blast: કેરળના એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવે છે કે આ એક આતંકવાદી હુમલો છે.
મળતી માહિતી મુજબ, એક પછી એક સતત બે બ્લાસ્ટ થયા છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રારંભિક મૂલ્યાંકન મુજબ આ એક આતંકવાદી હુમલો છે. બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ વિસ્ફોટની માહિતી આપતાં આસિસ્ટન્ટ કમિશનર બેબી પીવીએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20-25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
બંને બ્લાસ્ટ 5-10 સેકન્ડમાં થયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ફોરેન્સિક ટીમ સ્થળ પર હાજર છે. તપાસ બાદ સ્પષ્ટ થશે કે, તે બોમ્બ વિસ્ફોટ હતો કે બીજું કંઈક.












Click it and Unblock the Notifications
