દિલ્લી ચૂંટણીઃ ઝીરો મેળવનાર કોંગ્રેસ નેતાએ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન
દિલ્લીમાં સરકાર આમ આદમી પાર્ટીની જ બનતી દેખાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનુ નિવેદન સામે આવ્યુ છે.
દિલ્લીના ચૂંટણી રણમાં આમ આદમી પાર્ટી એક વાર ફરીથી સિકંદર બનતી દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધા રુઝાનોમાં 50 સીટોને પાર પહોંચી ગઈ છે. વળી, ભાજપ 15ના આંકડા સુધી જતી દેખાઈ રહી છે. જો કે સરકાર આમ આદમી પાર્ટીની જ બનતી દેખાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનુ નિવેદન સામે આવ્યુ છે. અધીર રંજને કહ્યુ કે બધા જાણતા હતા કે આમ આદમી પાર્ટી ત્રીજા વાર સત્તામાં વાપસી કરશે. તેમણે પોતાની પાર્ટીની હાર પર કહ્યુ કે જો કે કોંગ્રેસની હારથી સાર સંદેશ નહિ જાય. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાંપ્રદાયિક એજન્ડા સામે આપીની જીત મહત્વપૂર્ણ છે. અધીર રંજને કેજરીવાલના સારા પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા.

આ પહેલા પણ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, 'વિધાનસભા ચૂંટણીમાં જો આપ જીતી તો આ વિકાસ એજન્ડાની જીત હે અને ભારતીય જનતા પાર્ટીની હાર સાથે સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ, અમે આ ચૂંટણીને પોતાની પૂરી તાકાત સાથે લડી. આ ચૂંટણીમાં ભાજપે સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાની દરેક સંભવ કોશિશ કરી. વળી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ વિકાસના મુદ્દાને આગળ રાખ્યા. જો કેજરીવાલ જીત્યા તો વિકાસની જીત હશે.' સાથે જ તેમણે એ પણ કહ્યુ કે જો ભાજપ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં હારી જાય તો તેમને સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે.
Congress MP AR Chowdhury: Everyone knew that Aam Aadmi Party will return to power for the third time. Congress's defeat will not send a good message. The victory of AAP against the Bharatiya Janata Party & its communal agenda is significant. pic.twitter.com/HD2vQhFfpn
— ANI (@ANI) February 11, 2020
તેમણે આગળ કહ્યુ, 'ભાજપે પોતાના બધા મોટા નેતાઓને આ ચૂંટણીમાં ઉતારી દીધા હતા અને તે બધા શાહીન બાગની બૂમો પાડી રહ્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલ મોહલ્લા ક્લિનિક તેમજ પોતાના બીજા કામોને જનતા સામે રાખી રહ્યા હતા. કોંગ્રેસે જનતાએ એ સંદેશ આપવાની કોશિશ કરી કે દિલ્લીમાં લાંબા સમય સુધી રહેલા શીલા દીક્ષિતની સરકારે જ વિકાસ કર્યો હતો.' ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીના સરકાર બનાવવાના નિવેદન પર તેમણે કહ્યુ, 'આપણે બધા જાણીએ છીએ કે તે સારુ ગાય છે અને સારુ નાચે છે પરંતુ ચૂંટણી આનાથી ઘણી અલગ હોય છે. તે દિવસમાં સપના જોઈ શકે છે, તે એમનો મૌલિક અધિકાર છે પરંતુ તેમનુ સપનુ સપનુ જ રહેશે. દિલ્લીમાં ભાજપ નહિ જીતે.'
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
