Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હેલિકોપ્ટર સોદો: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીને આપવામાં આવી હતી લાંચ ?

sp-tyagi-chopper
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: એક રિપોર્ટ મુજબ ઇટાલીની તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટરના સોદામાં પૂર્વ વાયુ સેના પ્રમુખ એસ પી ત્યાગીને લાંચ આપવામાં આવી હતી. આ લાંચ ફિનમેક્કેનિકા કંપનીને ફાયદો પહોંચાડવાના હેતુથી આપવામાં આવી હતી.

એક અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર 64 પેજના પોતાના રિપોર્ટમાં તપાસકર્તાઓએ એસ પી ત્યાગીના નામનો ખુલાસો કર્યો હતો. ભારતીય રક્ષા મંત્રાલાયે આ મામલે તપાસના આદેશનો આદેશ આપ્યો હતો. જો એ વાતનો ખુલાસો કરવામાં નથી આવ્યો કે 4 હજાર કરોડના આ સોદામાં એસ પી ત્યાગીને કેટલી રકમ આપવામાં આવી છે. જો કે એસ પી ત્યાગીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હેલિકોપ્ટરની ખરીદીમાં મારે કોઇ લેવાદેવા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ફિનમેક્કેનિકાના સીઇઓ ગિસેપ ઓર્સીની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો ખુલાસો થતાં જ ભારતની રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

શંકા એ પણ છે કે તે ભારત સરકારને ફિનમેકેનિકાની સહાયક કંપની અગસ્તાવેસ્ટલેંડ દ્રારા નિર્મિત 12 હેલિકોપ્ટર વેચવાના સંબંધમાં લાંચ આપવાના મુદ્દે સામેલ છે. એજન્સીના અનુસાર ફરિયાદપક્ષને સંદેહ છે કે 'અગસ્તાવેસ્ટલેંડ'ને સોદો અપાવવા માટે લગભગ પાંચ કરોડ યૂરો (લગભગ 362 કરોડ રૂપિયા) સોદાની 10 ટકા રકમ લાંચરૂપે આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X