1 રૂપિયાના વેતન પર 'આપ' માટે કામ કરશે પૂર્વ ઓફિસ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: બે ટોચના સરકારી અધિકારી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારને 'સ્વરાજ'નો વાયદો કરવા અને લોકો માટે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની દેખરેખ કરવામાં મદદ કરશે. તેના બદલામાં તે 1 રૂપિયો પ્રતિમાહ માનદ વેતન લેશે. આ અધિકારીઓમાં એક વહીવટદાર છે તો બીજા વરિષ્ઠ પોલીસ અધિકારી રહી ચૂક્યાં છે.
રાજ્યમાં ગ્રામ્ય સ્તર પર નીતિ નિર્ધારણમાં મદદગાર રહેનાર 'ગ્રામ સ્વરાજ' વિચારને સફળતાપૂર્વક લાગૂ કરવા પાછળ કામ કરનાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ એસસી બેહર દિલ્હીમં સ્વરાજ લાવવા માટે વિધાનનો ડ્રાફ્ટ 1 રૂપિયાના વેતન પર તૈયાર કરશે.

દિલ્હી પોલીસના પૂર્વ જોઈન્ટ કમિશનર એન દિલીપ કુમાર લાંચ લેનારને પકડવા માટે આપ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની દેખરેખ કરશે. તે પણ 1 રૂપિયો પ્રતિમાહ માનદ વેતન લેશે. એક વરિષ્ઠ સરકરી અધિકારીએ જણાવ્યું હતું કે બંને (બેહર અને કુમાર)ને દિલ્હી સરકારના સલાહકારના રૂપમાં નિમવામાં આવ્યા છે અને તેમને પ્રતિમાહ વેતન મળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેહરને સ્વરાજનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું જટીલ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશમાં ગ્રામ સ્વરાજના વિચારોને વિદેશી યુનિવર્સિટીના વિદ્રાનો સહિત ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી છે. આ પગલાંના માધ્યમથી નીતિ નિર્માણમાં ગ્રામ પંચાયતોને અધિકારીક બનાવવામાં આવ્યા છે. બેહરે કહ્યું હતું કે દિલ્હીમાં સ્વરાજ લાગૂ કરવા માટે એક પડકારપૂર્ણ કામ છે કારણ કે મધ્ય પ્રદેશના ગ્રામ સ્વરાજથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. મધ્ય પ્રદેશ ગ્રામીણ સમાજવાળા છે અને દિલ્હી એક શહેરી રાજ્ય છે.












Click it and Unblock the Notifications
