નુકસાનનું આકલન કરવા એક્સપર્ટ્સની ટીમ કેદારનાથ જશે

kedarnath-temple
નવી દિલ્હી, 29 જૂન : ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઇ)ના નિષ્ણાતોની એક ટીમે પૂર પ્રકોપથી કેદારનાથ મંદિરને પહોંચેલા નુકસાનનું આકલન કરવા માટે અને મંદિરને ફરીથી પહેલા જેવું રૂપ આપવા માટે જરૂરી બાબતોનો અભ્યાસ કરવા માટે પવિત્ર યાત્રા ધામ કેદારનાથની મુલાકાત લેશે.

આ ટીમમાં દહેરાદૂન અને દિલ્હીના પાંચ નિષ્ણાતો સામેલ હશે. રાજ્ય સરકારે તીર્થસ્થળને પહોંચેલા નુકસાનના આકલન માટે એએસઆઇની મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું કે ટીમને રવિવાર સુધીમાં હેલિકોપ્ટરથી કેદારનાથ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યારે કેદારનાથ મંદિર એએસઆઇ હેઠળ આરક્ષિત સ્થળ નથી. એએસઆઇ ટીમ પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સોંપશે.

બીજી તરફ પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે ફરી એકવાર મહત્વપૂર્ણ બચાવ અભિયાનમાં અવરોધ ઉભો થયો છે. કેદારનાથ અને ગુપ્ત કાશીમાં અટકી અટકીને થનારા વરસાદને કારણે કાટમાળ ખસેડવાની અને તેની નીચે દટાયેલા મૃતદેહોને બકાર કાઢવાની પ્રક્રિયામાં ભારે અવરોધ આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X