For Quick Alerts
For Daily Alerts
નુકસાનનું આકલન કરવા એક્સપર્ટ્સની ટીમ કેદારનાથ જશે
આ ટીમમાં દહેરાદૂન અને દિલ્હીના પાંચ નિષ્ણાતો સામેલ હશે. રાજ્ય સરકારે તીર્થસ્થળને પહોંચેલા નુકસાનના આકલન માટે એએસઆઇની મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું કે ટીમને રવિવાર સુધીમાં હેલિકોપ્ટરથી કેદારનાથ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યારે કેદારનાથ મંદિર એએસઆઇ હેઠળ આરક્ષિત સ્થળ નથી. એએસઆઇ ટીમ પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સોંપશે.
બીજી તરફ પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે ફરી એકવાર મહત્વપૂર્ણ બચાવ અભિયાનમાં અવરોધ ઉભો થયો છે. કેદારનાથ અને ગુપ્ત કાશીમાં અટકી અટકીને થનારા વરસાદને કારણે કાટમાળ ખસેડવાની અને તેની નીચે દટાયેલા મૃતદેહોને બકાર કાઢવાની પ્રક્રિયામાં ભારે અવરોધ આવી રહ્યો છે.
kedarnath temple uttarakhand flood uttarakhand rain archaeological survey of india કેદારનાથ મંદિર ઉત્તરાખંડ પૂર ઉત્તરાખંડ વરસાદ ભારતીય પુરાતત્વ વિભાગ
English summary
Experts to assess Kedarnath shrine damage.
Story first published: Saturday, June 29, 2013, 13:29 [IST]