કર્ણાટક: વિધાયકના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ, એકનું મૌત
બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક ધમાકો થયાની ખબર આવી છે. અહીં વિધાયક મુનિરત્નના ઘરની પાસે વિસ્ફોટ થયો છે.
બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક ધમાકો થયાની ખબર આવી છે. અહીં વિધાયક મુનિરત્નના ઘરની પાસે વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં એક વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ઘટના વિશે તપાસ કરી રહી છે. હજુ સુધી ધમાકો થવાનું કારણ જાણી શકાયું નથી.
આ ઘટના વિશે જાણકારી આપતા બેંગ્લોર શહેરના પોલીસ કમિશ્નર ટી સુનિલ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્લાસ્ટમાં વેંકટેશ નામના વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ધમાકો સવારે 9.20 વાગ્યો થયો. આ ઘટનાની જાણકારી મળ્યા પછી અહીં ફોરેન્સિક લેબની ટીમ પહોંચી ચુકી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
#Karnataka: One person has died in an explosion outside the residence of Rajarajeshwari Nagar MLA, Munirathna, in Vyalikaval. Police is present at the spot, probe is underway. pic.twitter.com/EFGCLpMDt9
— ANI (@ANI) May 19, 2019