હવે ફેસબુક પર મોદી અને કેજરીવાલ સાથે કરો Live Chat
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણીનો ખૂમાર હવે સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે. નેતા, રાજકીય પક્ષો અને તેમના સપોર્ટસ હાલમાં ફેસબુક, ટ્વિટર જેવી સોશિટલ નેટવર્કિંગ સાઇટો પર પોતાની પાર્ટીનો ચૂંટણી પ્રચાર કરવામાં જોડાઇ ગયા છે.
સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે એક ફીચર લોન્ચ કર્યું છે, 'ફેસબુક ટોક્સ લાઇવ;. આ ફીચર અંતગર્ત ફેસબુક જાણિતી હસ્તીઓ સાથે લાઇવ ચેટ આયોજીત કરે છે, એજ્માં તમે પણ તમાર પ્રશ્નો મૂકી શકો છો. આ ફીચર અંતગર્ત ભારત નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, લાલૂ યાદવ અને મમતા બેનર્જી સાથે લાઇવ ચેટના માધ્યમથી તેની શરૂઆત થઇ રહી છે.
ફેસબુકના નવા ફીચરના માધ્યમથી એક સમયમાં એક નેતા સાથે લાઇવ ચેટ માટે લોકોને આમંત્રિત કરવામાં આવશે. આ નવા ફીચરના માધ્યમથી તમે તમારા નેતાઓ સાથે તેમના એજન્ડા, વહિવટીતંત્ર અને પ્રાથમિકતાઓ વિશે પ્રશ્ન પૂછી શકશો. પોતાના નવા ફીચર માટે ફેસબુકે પ્રેસ રીલિજ જાહેર કરી છે. 'ફેસબુકટોક્સ લાઇવની આ સીઝનમાં લોકો નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને લાલૂ પ્રસાદ યાદવ સાથે તેમની ગર્વર્નેસ સંબંધી નિતીઓ, પ્રાથમિકતાઓ અને એજન્ડા વિશે પ્રશ્ન કરી શકશો.