For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરે પરિવારે કર્યું બાળા સાહેબની અસ્થીઓનું વિસર્જન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 નવેમ્બર: શિવસેનાના દિવંગત અધ્યક્ષ બાલ ઠાકરેની અસ્થિયોને શુક્રવારે તેમના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ અરબ સાગરમાં પધરાવ્યા હતા.

મહારાષ્ટ્ર નવનિવર્માણ સેનાના અધ્યક્ષ અને બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે પણ આ પ્રસંગે ગેટવે ઓફ ઇન્ડિયા પર હાજર રહ્યા હતા, જ્યાં આખો પરિવાર હાજર રહ્યો હતો. સમગ્ર ઠાકરે પરિવારે સાથે મળીને બાળા સાહેબના અસ્થીઓનું વિસર્જન કર્યું હતું.

Uddav thackeray
જોકે બાળા સાહેબના સ્મારકને લઇને રાજ ઠાકરેની મનસે અને ઉદ્વવ ઠાકરેની શિવસેના વચ્ચે મતભેદ ચાલી રહ્યો હોવાથી એવી અટકળો હતી કે રાજ ઠાકરે આ પ્રસંગે હાજરી આપશે નહીં. પરંતુ રાજ ઠાકરેએ પોતાના કાકાની અસ્થીઓનું વિસર્જન કરી આ અટકળો દૂર કરી દીધી હતી.

અત્રે નોંધનીય છે કે શિવસેનાના સ્થાપક અને સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેનું 17 નવેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. 18 નવેમ્બરના રોજ બાળ ઠાકેરની અંતિમ યાત્રામાં 20 લાખથી પણ વઘારે લોકો હાજર રહ્યાં હતા અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા.

English summary
The ashes of Shiv Sena leader Bal Thackeray were immersed at sea off Mumbai on Friday by his son Uddhav Thackeray and close family members.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X