Farmers Protest: ખેડૂતોનુ આજે ભારત બંધનુ આહવાન, ત્રીજા દોરની વાતચીત પણ અનિર્ણિત, MSP પર શું કહ્યુ સરકારે?
Farmers Protest: ગુરુવારે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ. પરંતુ આ બેઠક પણ અનિર્ણિત રહી હતી. પ્રથમ બે બેઠકોની જેમ આ બેઠકનું પણ કોઈ પરિણામ આવ્યું નથી. મળતી માહિતી મુજબ ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે.
16 ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતો તેમની માંગણીઓ માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દરમિયાન શુક્રવારે એટલે કે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો એમએસપીને લઈને સતત મક્કમ છે. સરકારે સમજાવ્યું કે શા માટે એમએસપીને રાતોરાત કાયદેસર ન કરી શકાય. સરકારે ખેડૂતોને કહ્યું કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાસેથી MSP પર ઘઉં અને ડાંગરની ખરીદી પહેલાથી જ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ખેડૂતો બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ભારતના મુખ્ય રસ્તાઓ પર ખેડૂતો વ્યાપક ચક્કા જામમાં ભાગ લેશે. પંજાબમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો મોટો ભાગ ઓછામાં ઓછા ચાર કલાક માટે બંધ રહેશે.
બે દિવસના વિરોધ પ્રદર્શન પછી ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને તેમના પાકના ઊંચા ભાવની માંગણી કરનારા ખેડૂતો વચ્ચે વાતચીતનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, કૃષિ પ્રધાન અર્જુન મુંડા, ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન 17 કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં હાજરી આપી હતી.
'દિલ્હી ચલો' માર્ચ અંતર્ગત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા પોલીસ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. ખેડૂતો કડકડતી ઠંડીમાં ચા પીને ગરમી લઈ રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતો હવે સરકાર સાથેની વાતચીતના પરિણામની રાહ જોઈ રહ્યા છે.
BKU સ્થાનિક નેતા પવન ખટાનાએ જણાવ્યું હતું કે તેમના યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા 'ભારત બંધ' દરમિયાન, ખેડૂતોને તેમની માંગણીઓ માટે સરકાર પર દબાણ લાવવા માટે એક દિવસીય હડતાળનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ખટાનાએ જણાવ્યું હતું કે ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે આવતીકાલે ખેતરોમાં કામ ન કરો અથવા કોઈપણ ખરીદી માટે બજારમાં ન જાઓ. આવતીકાલે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ હડતાળમાં જોડાવા હાકલ કરવામાં આવી છે. ખેડૂત નેતાએ કહ્યું કે વિરોધીઓ તેમના વિસ્તારોમાં રહેશે અને દિલ્હી તરફ કૂચ કરશે નહીં.












Click it and Unblock the Notifications
