ફારુક અબ્દુલ્લાનો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા ઈન્કાર, ખુદ નામ પાછળ ખેચ્યુ!
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય.
નવી દિલ્હી, 18 જૂન : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય. વિપક્ષી દળોની તાજેતરની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ અબ્દુલ્લાએ તેમના નામ પર વિચાર ન થવો જોઈએ એમ કહીને તેમનું નામ પાછું ખેંચી લીધું છે. પોતાની ઉમેદવારી માટે વિપક્ષનો આભાર માનતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને આ સમયે તેમની વધુ જરૂર છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે, હું ભારતના રાષ્ટ્રપતિ માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. મારા નામનો પ્રસ્તાવ મુકવા માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હું તે તમામ વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું જેમણે મારા નામ પર સમર્થન આપ્યું છે.
દેશના સૌથી વરિષ્ઠ રાજનેતાઓમાંના એક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, હું ભવિષ્યમાં સક્રિય રાજનીતિ કરવા માંગુ છું. હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે અને રાજ્યને આ અનિશ્ચિત સમયમાં તેને મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. હું જમ્મુ-કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે કામ કરતો રહીશ.
15 જૂને રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. વિપક્ષી નેતાઓની આ બેઠક TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવી હતી. કોંગ્રેસ સહિત 17 વિપક્ષી દળોની આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે પહેલા એનસીપી ચીફ શરદ પવારનું નામ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ પાછા હટી ગયા હતા. આ પછી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લાના નામનો પ્રસ્તાવ મૂક્યો. હવે અબ્દુલ્લાએ પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાશે અને પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 29 જૂન સુધી નામાંકન કરી શકાશે. આ પછી 18 જુલાઈએ મતદાન થશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
