જેટલીનો કોંગ્રેસ પર પલટવાર નોટબંધી નહીં 2G છે લૂંટ
અરુણ જેટલીએ નોટબંધી આપી પ્રતિક્રિયા સાથે જ પનામા પેપરથી લઇને 2જી સ્કેમ જેવા અનેક મુદ્દા પર કરી ટિપ્પણી. વધુ વાંચો અહીં.
નોટબંધી પર જ્યાં એક વર્ષ પૂર્ણ થવાનું છે ત્યારે તેના ઠીક એક દિવસ પહેલા નાણાં પ્રધાન અરુણ જેટલીએ નોટબંધી પર બોલતા કહ્યું કે નોટબંધી પછી ભારત એક સાફ, પારદર્શક અને પ્રામાણિક નાણાંકીય વ્યવસ્થા તરફ આગળ વધ્યું છે. નોટબંધીની અસર પર બોલતા તેમણે કહ્યું કે કેશ ઓછી હોવાના કારણે ભષ્ટ્રાચાર થતો ઓછા નથી થયો પણ તેની મુશ્કેલી વધી છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારની તરફથી લેવામાં આવેલો આ નિર્ણય સમાજમાંથી એક મોટા પાયે ભષ્ટ્રચારને પૂર્ણ કરવા અને કાળાં નાણાં પર અંકુશ લાવવાની દિશામાં એક મોટું પગલું છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા અને દેશના વ્યાપક હિત માટે દેશના સ્ટેટસને બદલવું જરૂરી હતું. જેટલીએ કહ્યું કે જીડીપીનો 12 ટકા ભાગ કેશ છે વળી જે ટેક્સ આપે છે તેમની પર ભાર વધુ રહે છે કારણ કે જે લોકો ટેક્સ ના આપે તેમનો પણ ટેક્સ આ લોકોએ ઉઠાવવો પડે છે.

તેમણે કહ્યું કે દેશ ચલાવવા માટે પૈસા તો જોઇએ છે. તેવામાં આ એક પ્રકારનો અન્યાય છે. જે સાધન ગરીબના કલ્યાણમાં ખર્ચ થવાનો હોય છે તે સાધન સંપન્ન વ્યક્તિના ખાતામાં જતો રહે છે. કેશ પર આધારિત અર્થવ્યવસ્થામાં આ ભષ્ટ્રાચારનું એક કેન્દ્ર અને કારણ પણ હોઇ શકે છે. સાથે જ આ પ્રસંગે અરુણ જેટલીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પરિવાર સેવામાં માને છે. પણ અમારો હેતું દેશ સેવા કરવાનો છે. અમારી અને કોંગ્રેસની નૈતિકતામાં બહુ અંતર છે. સાથે જ કોંગ્રેસ પર આક્ષેપ કરતા અરુણ જેટલીએ કહ્યું કે નોટબંધી લૂટ નથી લૂટ તો 2G, CWG અને કોલસા કૌભાંડમાં થઇ છે. બુધવારે સમગ્ર દેશના નવ રાજ્યોમાં ભાજપ પ્રેસ કોન્ફર્ન્સ કરશે. જેમાં તે નોટબંધીના ફાયદા અને કાળા નાણાંને લઇને ચર્ચા કરશે. સાથે જ આ મામલે પનામા પેપર અને જય સિંહ મામલે બોલતા અરુણ જેટલીએ કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. અને જો તપાસ બાદ જો કોઇ આરોપી હશે તો અમારી સરકાર તેને સજા ચોક્કસથી આપશે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
