મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત

મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત

મુંબઈઃ મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં ખાલી પડેલ એક જહાજમાં આગ લાગી ગઈ છે. મઝગાંવ ડૉકયાર્ડમાં ઉભેલ જહાજમાં અચાનક આગ લાગી ગઈ. આગની સૂચના મળતા જ આગ ઓલવવા માટે 5 ફાયર ફાયટર અને 4 પાણીના ટેન્કરને તુરંત ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યાં. જહાજના બીજા અને ત્રીજા માળ પર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ છે. જહાજમાં લાગેલ આગમાં એક શખ્સની મુઝારાથી મોત થયું છે. જાણકારી મુજબ જહાજના ત્રીજા માળ પર શખ્સે ફંસાયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું.

fire

આગ પર કન્ટ્રોલ મેળવવા માટે તેજીથી કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે જહાજમાં આગ લાગી તે આઈએનએસ વિશાખાપટ્ટનમ છે. ઉપરાંત આ યાર્ડને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જે જહાજમાં આગ લાગી છે તે એક ડિસ્ટ્રોયર શિપ છે જે દુશ્મની જહાજને તબાહ કરવા સક્ષમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X