For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત

મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં ખાલી પડેલ એક જહાજમાં આગ લાગી ગઈ છે. મઝગાંવ ડૉકયાર્ડમાં ઉભેલ જહાજમાં અચાનક આગ લાગી ગઈ. આગની સૂચના મળતા જ આગ ઓલવવા માટે 5 ફાયર ફાયટર અને 4 પાણીના ટેન્કરને તુરંત ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યાં. જહાજના બીજા અને ત્રીજા માળ પર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ છે. જહાજમાં લાગેલ આગમાં એક શખ્સની મુઝારાથી મોત થયું છે. જાણકારી મુજબ જહાજના ત્રીજા માળ પર શખ્સે ફંસાયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું.

fire

આગ પર કન્ટ્રોલ મેળવવા માટે તેજીથી કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે જહાજમાં આગ લાગી તે આઈએનએસ વિશાખાપટ્ટનમ છે. ઉપરાંત આ યાર્ડને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જે જહાજમાં આગ લાગી છે તે એક ડિસ્ટ્રોયર શિપ છે જે દુશ્મની જહાજને તબાહ કરવા સક્ષમ છે.

<strong></strong>કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધોકર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો

English summary
fire breaks out in empty ship at mazagon dockyard, 1 died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X