લખનવ: હોટેલ વિરાટમાં ભીષણ આગ, 5 લોકોની મૌત
લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી.
લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી. ઘટના વિશે જાણકારી મળતા જ ફાયરબ્રિગેડ ટીમ જગ્યા પર પહોંચી ગયી. આ ઘટનામાં 5 લોકોની મૌત થઇ ચુકી છે. આપણે જણાવી દઈએ કે ચારબાગમાં લખનવનું મુખ્ય રેલવે સ્ટેશન છે, જેને કારણે અહીં ભીડ પણ વધારે રહે છે.
જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 5 લોકો લપેટાઈ ગયા છે. જેમને ઉપચાર માટે તરત હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હોટેલના પહેલા માળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કુલ 5 ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગવાના કારણ વિશે કોઈ પણ માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે તેઓ આગ લાગવાના કારણ વિશે તપાસ કરી રહ્યા છે.
#UPDATE: Fire broke out in Charbagh's SSJ International hotel, in the early morning hours. Police says, 'Search operation on the first floor is underway. 5 people have been taken to hospital for treatment. Cause of fire yet to be ascertained. Investigation is underway'. pic.twitter.com/f2Z8AKDyMY
— ANI UP (@ANINewsUP) June 19, 2018