અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં સાધુઓ વચ્ચે ખૂની જંગ, એકનું મોત

ઘટના સ્થળે પોલીસે 12 બોરની બે બંદૂકો અને 315 બોરની એક કારતૂસ જપ્ત કરી છે. સ્થિતિ તણાવપૂર્ણ હોવાથી સમગ્ર વિસ્તારમાં પીએસી નિયુક્ત કરી દેવામાં આવી છે. સમાજવાદી સંત સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભવનાથ દાસે ત્રણ દિવસ પહેલા હનુમાનગઢી મંદિરની સાંકડી ગલી આગળ દીવાર બનાવી તેને બંધ કરી દીધી હતી. આ ગલીમાંથી જ હરિશંકર દાસ પહેલવાનના ઘરમાં ઉપર જવાનો રસ્તો છે.
આ મુદ્દે બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. હરિશંકર દાસનું કહેવું છે કે આ હનુમાનગઢીની જાહેર સંપત્તિ છે. રવિવારે સાંજે મજૂરો દીવાર તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફથી તેમની પર પત્થરબાજી થઇ અને લાકડી અને વાંસ લઇને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બલરામ દાસે ગોળી ચલાવી હતી તો સામે પક્ષેથી પણ ગોળી ચાલી હતી. જેમાં મજૂરનું મોત નિપજ્યું હતું.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
