મૃત્યુ પછી ભૈયુજી મહારાજની પહેલી ફોટો, માથા પર મારી હતી ગોળી
મધ્યપ્રદેશના સંત ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા પછી તેમની પહેલી ફોટો સામે આવી છે સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી હતી.
મધ્યપ્રદેશના સંત ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા પછી તેમની પહેલી ફોટો સામે આવી છે સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી હતી. તેમને તરત ઇન્દોરમાં બોમ્બે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ બધા વચ્ચે ભૈયુજી મહારાજે લખેલી એક સુસાઇટ નોટ મળી આવી છે.
ભૈયુજી મહારાજની આત્મહત્યાથી હડકંપ
ભૈયુજી મહારાજની આત્મહત્યાની ખબર થી હડકંપ મચી ગયો છે. આખી ઘટનાની તપાસમાં જોડાયેલી મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું કે ભૈયુજી મહારાજે પોતાને માથામાં જમણી બાજુ ગોળી મારી હતી. તેની સાથે સાથે તેમને સુસાઇટ નોટ પણ મળી આવ્યા વિશે વાત કહી. સુસાઇટ નોટમાં તેમને માનસિક તણાવ વિશે વાત કરી છે. પરંતુ હજુ સુધી તેમના માનસિંક તણાવનું કારણ જાણવા મળ્યું નથી.
સુસાઇટ નોટ મળી
ભૈયુજી મહારાજે સુસાઇટ નોટમાં લખ્યું કે પરિવારની જવાબદારી સંભાળવા માટે ત્યાં કોઈનું હોવું જરૂરી છે. હું આ બધા કારણોને કારણે તણાવથી પસાર થઇ રહ્યો છું. સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી છે. જે સમયે ભૈયુજી મહારાજે આ પગલું ભર્યું ત્યારે તેમની માતા અને પત્ની ઘરમાં હાજર હતા. આખરે તેમને આવું પગલું કેમ ભર્યું તેના વિશે કોઈ નથી જાણતું.
લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી
આપણે જણાવી દઈએ કે સંત ભૈયુજી મહારાજને શિવરાજ સરકારમાં મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સંત ભૈયુજી મહારાજ 5 સંતોમાં શામિલ છે જેમને શિવરાજ સરકારે મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભૈયુજી મહારાજે સરકારના આ નિર્ણયને સ્વીકાર કર્યો ના હતો.
શિવરાજ સિંહ ચૌહાણે આપી શ્રદ્ધાંજલિ
ભૈયુજી મહારાજની મૌત પર મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી ઘ્વારા ટવિટ કરીને કહેવામાં આવ્યું કે ભૈયુજી મહારાજ જવાથી દેશે સંસ્કૃતિ, જ્ઞાન અને સેવાના ત્રિવેણી વ્યક્તિત્વ ગુમાવી દીધું છે. તેમના વિચાર અનંત કાળ સુધી લોકોને માનવતાની સેવાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરશે.