અહો આશ્ચર્યમ! મુંબઇમાં માછલીના કરડવાથી 60 લોકો ઝખમી!

મુંબઇ, 11 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રમાં મંગળવારે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન માછલી કરડવાથી એક નહીં બે નહીં 60 લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટના અંગેના જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનીય સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ગિરગાંવ ચૌપાટી પર બની હતી.

આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અનુસાર દાખલ કરવામાં આવેલા લોકો સ્ટિંગરે અથવા કૈટફિશના કરડવાના કારણે જખમી થયા છે.

ganesh
નાયર હોસ્પિટલના સબફેકલ્ટી અધ્યક્ષ ડો. મહેશ શાહે જણાવ્યું કે સ્ટિંગરે માછલીના કરડવાથી લોહી ખૂબ જ વહી ગયું છે. ઘાયલ લોકોમાંથી 11 લોકોને જીટી હોસ્પિટલમાં, 7ને કામા હોસ્પિટલમાં, 4 લોકોને જેજે હોસ્પિટલમાં અને 30 લોકોને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

નગર નિગમના નાયબ કમિશ્નર કિશોર શીરસાગરે જણાવ્યું કે લોકોની ફરિયાદો સાંજે સાઢા સાત વાગ્યાથી આવવાની શરૂ થઇ ગઇ હતી. સ્થાનીય અધિકારીઓએ શ્રદ્ધાળુઓને ઊંડે સુધી પાણીમાં નહી જવાની અપીલ કરતા તેમને બોટ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X