કુંભ સંતોનો ગુસ્સોઃ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન
આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન
પ્રયાગરાજઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ગુરુવારે થયેલ ફિદાયીન આતંકી હુમલામાં 40થી વધુ જવાનોની શહાદત બાદ કુંભ મેળામાં સંતો પણ ગુસ્સે થયા છે. કુંભ મેળામાં અખિલ ભારતીય હિંદુ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગતગુરુ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

5 કરોડનું ઈનામ
તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સરકારે આ ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને છોડ્યો હતો, ત્યારે દેશના લોકો અને મીડિયાએ બહુ દબાણ બનાવ્યું હતું. જેનું નુકસાન હવે આપણા દેશના જવાનોની કુર્બાની આપીને ભોગવવું પડી રહ્યું છે. આપણે મજબૂત થવું જશે, રાષ્ટ્રએ મજબૂત થવું પડશે, ત્યારે જ મસૂદ જેવા આતંકીને ઠાર મારી શકાશે. જગતગુરુ પંચાનંદ ગિરિએ એલાન કરતા કહ્યું કે જે કોઈપણ આતંકવાદી મસૂદ અઝહરનું માથું કલમ કરી લાવશે તેમને તેઓ પોતાની તરફથી 5 કરોડ રૂપિયા આપશે.

સરકારથી નારાજગી
જગતગુરુ પંચાનંદ ગિરિએ કહ્યું કે કોંગ્રેસ આતંકવાદીઓની સામે ઝૂકી અને આજે તે જ કામ ભારત સરકાર કરી રહી છે. જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સામાં છે. માટે હવે પાકિસ્તાન સાથે સીધી લડાઈ લડતા તેને સમાપ્ત કરી દેવો જોઈએ. જો આવું કરવામાં ન આવ્યું તો આતંકવાદીઓનો જુસ્સો હજુ વધતો રહેશે. તેમણે આ હુમલાનો આકરી નિંદા કરી છે.

પાંચ-પાંચ કરોડ રૂપિયાની માંગ
કુંભ મેળામાં શહીદો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કર્યા બાદ સ્વામી દેવતીર્થે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ જવાનોના પરિજનોને 5-5 કરોડ રૂપિયા આપવાની માંગ કી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થઈ રહી છે અને ભારતની સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ તેજ કરી છે. તેમણે દેશમાં ચાલી રહેલ ગુસ્સાની વચ્ચે કોઈને પણ રાજનીતિ ન કરવાની સલાહ આપી અને કહ્યું કે તમામ રાજનૈતિક દળ એક સાથે ઉભા થઈ આતંકવાદીઓ વિરુદ્ધ લડાઈ લડે.












Click it and Unblock the Notifications
