કુંભ સંતોનો ગુસ્સોઃ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન
આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન
પ્રયાગરાજઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ગુરુવારે થયેલ ફિદાયીન આતંકી હુમલામાં 40થી વધુ જવાનોની શહાદત બાદ કુંભ મેળામાં સંતો પણ ગુસ્સે થયા છે. કુંભ મેળામાં અખિલ ભારતીય હિંદુ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગતગુરુ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

5 કરોડનું ઈનામ
તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સરકારે આ ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને છોડ્યો હતો, ત્યારે દેશના લોકો અને મીડિયાએ બહુ દબાણ બનાવ્યું હતું. જેનું નુકસાન હવે આપણા દેશના જવાનોની કુર્બાની આપીને ભોગવવું પડી રહ્યું છે. આપણે મજબૂત થવું જશે, રાષ્ટ્રએ મજબૂત થવું પડશે, ત્યારે જ મસૂદ જેવા આતંકીને ઠાર મારી શકાશે. જગતગુરુ પંચાનંદ ગિરિએ એલાન કરતા કહ્યું કે જે કોઈપણ આતંકવાદી મસૂદ અઝહરનું માથું કલમ કરી લાવશે તેમને તેઓ પોતાની તરફથી 5 કરોડ રૂપિયા આપશે.

સરકારથી નારાજગી
જગતગુરુ પંચાનંદ ગિરિએ કહ્યું કે કોંગ્રેસ આતંકવાદીઓની સામે ઝૂકી અને આજે તે જ કામ ભારત સરકાર કરી રહી છે. જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સામાં છે. માટે હવે પાકિસ્તાન સાથે સીધી લડાઈ લડતા તેને સમાપ્ત કરી દેવો જોઈએ. જો આવું કરવામાં ન આવ્યું તો આતંકવાદીઓનો જુસ્સો હજુ વધતો રહેશે. તેમણે આ હુમલાનો આકરી નિંદા કરી છે.

પાંચ-પાંચ કરોડ રૂપિયાની માંગ
કુંભ મેળામાં શહીદો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કર્યા બાદ સ્વામી દેવતીર્થે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ જવાનોના પરિજનોને 5-5 કરોડ રૂપિયા આપવાની માંગ કી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થઈ રહી છે અને ભારતની સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ તેજ કરી છે. તેમણે દેશમાં ચાલી રહેલ ગુસ્સાની વચ્ચે કોઈને પણ રાજનીતિ ન કરવાની સલાહ આપી અને કહ્યું કે તમામ રાજનૈતિક દળ એક સાથે ઉભા થઈ આતંકવાદીઓ વિરુદ્ધ લડાઈ લડે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
