Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Flood Jihad : શું છે પૂર જેહાદ? જાણો કેમ તેને લઈને વિવાદ થઈ રહ્યો છે?

Flood Jihad: જેહાદના નામે ધાર્મિક ધ્રુવીકરણ કરતી બીજેપી અને તેના નેતાઓ સતત નવા નવા ગતકડા કરતા રહે છે. આ ક્રમમાં જ આસામમાં બીજેપી નવુ પૂર જેહાદ લઈને આવી છે.

સરકારના અયોગ્ય આયોજનને કારણે આસામના ગુવાહાટીમાં આવેલા પૂરને લઈને હિમંતા સરકારે વિચિત્ર દાવો કર્યો છે. જેને લઈને લોકો આકરી ટીકા કરી રહ્યાં છે.

Flood Jihad

અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિ વધુ ખરાબ કરવા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મેઘાલયને જવાબદાર ઠેરવી છે. તેમણે વિચિત્ર આરોપ લગાવ્યો કે ફ્લડ જેહાદ ફેલાવવા માટે મુસ્લિમ વ્યક્તિની ખાનગી યુનિવર્સિટી જવાબદાર છે.

ઈમારતને કારણે પાણી વહી જતું અટકાવવાના મામલાને બિસ્વા સરમાએ પૂર જેહાદ ગણાવ્યુ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિ વધુ ખરાબ કરવા માટે યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મેઘાલય (યુએસટીએમ)ને જવાબદાર ઠેરવી.

ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, યુનિવર્સિટીના નિર્માણથી કુદરતી પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો છે, જેના કારણે શહેરમાં ગંભીર પૂર આવે છે. જણાવી દઈએ કે, હિમંતા બિસ્વા સરમા આવા ધાર્મિક કટ્ટર નિવેદનો માટે કુખ્યાત છે. તે પહેલા પણ આવા નિવેદનો આપતા રહ્યા છે.

જણાવી દઈએ કે, કોઈપણ વસ્તુને જેહાદા સાથે જોડવા બદનામ બીજેપી અને તેના નેતાઓ અત્યાર સુધીમાં લવ જેહાદ, ફૂડ જેહાદ, લેન્ડ જેહાદ જેવા શબ્દોનો ઉપયોગ કરતા આવ્યા છે. હવે હિમંતા બિસ્વા સરમાએ ફ્લડ જેહાદ જેવા કટ્ટર શબ્દનો પ્રયોગ કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X