For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Commissioner: ચૂંટણી કમિશ્નરના પદ પર રિટાયર્ડ IAS અરુણ ગોયલની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

રિટાયર્ડ આઈએએસ અરુણ ગોયલને ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Election Commissioner: રિટાયર્ડ આઈએએસ અરુણ ગોયલને ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. જો કે હજુ સુધી નિયુક્તિની તારીખ હજુ નક્કી નથી. શનિવારે સાંજે કાયદા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

EC

તમને જણાવી દઈએ કે અરુણ ગોયલ, 1985 બેચના પંજાબ કેડરના અધિકારી છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પેનલનો ભાગ હશે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા આ વર્ષે મે મહિનામાં રાજીવ કુમારને કાર્યભાર સોંપીને નિવૃત્ત થયા હતા. પોલ પેનલ ત્યારથી બે સભ્યોની સંસ્થા છે અને તેણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગેરલાયકાતની માંગ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓને હેન્ડલ કરવાના હતા. દેશની ટોચની ચૂંટણી સંસ્થામાં ત્રીજી પોસ્ટ લગભગ છ મહિનાથી ખાલી પડી હતી.

ગુજરાતમાં આગામી મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી કમિશનર તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

English summary
Former IAS Arun Goyal appointed as Election Commissioner before Gujarat elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X