21મી સદીમાં ભારતમાં પણ જાતિગત ભેદભાવ, પિતાને મળી હતી હિંદુ ધર્મ છોડવાની સલાહઃ મીરા કુમાર
પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે.
નવી દિલ્લીઃ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે દેશમાં બે પ્રકારના હિંદુ છે, એક એ લોકો જે મંદિરમાં પ્રવેશી શકે છે અને બીજા જે નથી કરી શકતા. મીરા કુમારે પહેલી વાર જાતિગત ભેદભાવ પર ખુલીને નિવેદન આપ્યુ છે. તેમણે મોટો ખુલાસો કરીને જણાવ્યુ કે દલિત હોવાના કારણે ઘણા લોકોએ તેમના પિતાને પોતાનો ધર્મ બદલવાની પણ સલાહ આપી હતી.

ગયા શુક્રવારે દલિત સમાજમાંથી આવતા અને પૂર્વ રાજનાયક મીરા કુમારે રાજેન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સભ્ય જયરામ રમેશે પોતાના નવા પુસ્તક 'ધ લાઈટ ઑફ એશિયાઃ ધ પોએમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધા' પર એક વ્યાખ્યાન આપ્યુ ત્યારબાદ પૂર્વ લોકસભા અધ્યક્ષે જાતિગત ભેદભાવ પર ખુલીને બોલ્યુ. તેમણે જણાવ્યુ કે ઘણા લોકોએ તેમના પિતા બાબૂ જગજીવન રામને હિંદુ ધર્મ છોડવા માટે કહ્યુ હતુ કારણકે તેમને પોતાની જાતિના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો હતો.
મીરા કુમારે આગળ કહ્યુ, 'પરંતુ મારા પિતાએ કહ્યુ હતુ કે તે પોતાની વર્તમાન સ્થિતિથી આવુ નહિ કરે અને આ જાતિ વ્યવસ્થા સામે લડશે. મારા પિતા પૂછ્યા કરતા હતા કે શું ધર્મ બદલવાથી કોઈની જાતિ બદલી શકાય છે?' તમને જણાવી દઈએ કે 'લાઈટ ઑફ એશિયા' પુસ્તક સર એડવિન અર્નોલ્ડે લખી હતી જે પહેલી વાર 1879માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં કથાત્મક કવિતા તરીકે બુધ્ધના જીવનનુ વર્ણન કરવામાં આવ્યુ હતુ. પોતાના વ્યાખ્યાનમાં જયરામ રમેશે કહ્યુ કે તેમનુ પુસ્તક એ વ્યક્તિની જીવની છે જેણે માનવતાના પક્ષને જોયો નહિ કે બુદ્ધનો દિવ્ય પક્ષ. તેમણે કહ્યુ કે તેમના પુસ્તકમાં બુદ્ધના એ પાસાં પર પણ જોર આપવામાં આવ્યુ છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત










Click it and Unblock the Notifications
