21મી સદીમાં ભારતમાં પણ જાતિગત ભેદભાવ, પિતાને મળી હતી હિંદુ ધર્મ છોડવાની સલાહઃ મીરા કુમાર
પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે.
નવી દિલ્લીઃ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે દેશમાં બે પ્રકારના હિંદુ છે, એક એ લોકો જે મંદિરમાં પ્રવેશી શકે છે અને બીજા જે નથી કરી શકતા. મીરા કુમારે પહેલી વાર જાતિગત ભેદભાવ પર ખુલીને નિવેદન આપ્યુ છે. તેમણે મોટો ખુલાસો કરીને જણાવ્યુ કે દલિત હોવાના કારણે ઘણા લોકોએ તેમના પિતાને પોતાનો ધર્મ બદલવાની પણ સલાહ આપી હતી.

ગયા શુક્રવારે દલિત સમાજમાંથી આવતા અને પૂર્વ રાજનાયક મીરા કુમારે રાજેન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સભ્ય જયરામ રમેશે પોતાના નવા પુસ્તક 'ધ લાઈટ ઑફ એશિયાઃ ધ પોએમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધા' પર એક વ્યાખ્યાન આપ્યુ ત્યારબાદ પૂર્વ લોકસભા અધ્યક્ષે જાતિગત ભેદભાવ પર ખુલીને બોલ્યુ. તેમણે જણાવ્યુ કે ઘણા લોકોએ તેમના પિતા બાબૂ જગજીવન રામને હિંદુ ધર્મ છોડવા માટે કહ્યુ હતુ કારણકે તેમને પોતાની જાતિના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો હતો.
મીરા કુમારે આગળ કહ્યુ, 'પરંતુ મારા પિતાએ કહ્યુ હતુ કે તે પોતાની વર્તમાન સ્થિતિથી આવુ નહિ કરે અને આ જાતિ વ્યવસ્થા સામે લડશે. મારા પિતા પૂછ્યા કરતા હતા કે શું ધર્મ બદલવાથી કોઈની જાતિ બદલી શકાય છે?' તમને જણાવી દઈએ કે 'લાઈટ ઑફ એશિયા' પુસ્તક સર એડવિન અર્નોલ્ડે લખી હતી જે પહેલી વાર 1879માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં કથાત્મક કવિતા તરીકે બુધ્ધના જીવનનુ વર્ણન કરવામાં આવ્યુ હતુ. પોતાના વ્યાખ્યાનમાં જયરામ રમેશે કહ્યુ કે તેમનુ પુસ્તક એ વ્યક્તિની જીવની છે જેણે માનવતાના પક્ષને જોયો નહિ કે બુદ્ધનો દિવ્ય પક્ષ. તેમણે કહ્યુ કે તેમના પુસ્તકમાં બુદ્ધના એ પાસાં પર પણ જોર આપવામાં આવ્યુ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
