પંજાબના પૂર્વ સીએમ ચન્નીની ED દ્વારા પૂછપરછ, જપ્ત કરાયેલા 10 કરોડ ચન્નીના હોવાનો દાવો!
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 2018 માં કથિત ગેરકાયદેસર રેતી ખનન કેસમાં ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ચંદીગઢ : પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 2018 માં કથિત ગેરકાયદેસર રેતી ખનન કેસમાં ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDના અધિકારીઓએ આજે તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, ચન્ની ગઈ કાલે તેમની સામે હાજર થયા હતા અને હવે તેમને ફરીથી સમન્સ મોકલવામાં આવી શકે છે. ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા આ વર્ષની શરૂઆતમાં જ મની લોન્ડરિંગના આરોપમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ચન્ની ED સમક્ષ હાજર થયા પછી, કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, "મારી લડાઈ પંજાબ માટે હતી રેતી માટે નહીં... જેઓએ જમીન, રેતી અને દારૂ માફિયાઓ ચલાવ્યા, તેમને તિજોરી લૂંટી હતી. તેમના સ્વાર્થના કારણોસર પંજાબને બદનામ કર્યું હતું. વર્તમાન નાણાકીય પરિસ્થિતિમાં પંજાબમાં ચે છે કે માફિયામાં! અમારી લડાઈ ચાલુ છે...."
હની હજુ પણ જેલમાં છે, 31 માર્ચે EDએ તેની સામે ચાર્જશીટ દાખલ કર્યા પછી મંગળવારે જામીન માટે અરજી કરી હતી. ED સૂત્રોએ દાવો કર્યો છે કે હની પાસેથી જપ્ત કરાયેલા 10 કરોડ રૂપિયા ચન્નીના હોઈ શકે છે. નવાશહેર જિલ્લાના રાહોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરકાયદે રેતી ખનન કેસના સંદર્ભમાં EDએ 18 અને 19 જાન્યુઆરીએ લુધિયાણા, મોહાલી, પઠાણકોટ, રૂપનગર અને ફતેહગઢ સાહિબમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. હનીનો ભાગીદાર કુદરતદીપ સિંહ પણ આ કેસમાં આરોપી હતો, પરંતુ બાદમાં પોલીસે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
EDએ દરોડા દરમિયાન કરોડો રૂપિયા રિકવર કર્યા હતા. નોંધનીય છે કે હની અને કુદરતદીપ સિંહ પ્રોવાઈડર્સ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર છે. EDએ હની સામેની તેની ચાર્જશીટમાં કહ્યું હતું કે તેણે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલા નાણાં રેતી ખનન પ્રવૃત્તિઓ અને સરકારી અધિકારીઓના ટ્રાન્સફર દ્વારા કમાયા હતા.
હનીને 3 ફેબ્રુઆરીએ EDની જલંધર ઑફિસમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેની મોડી રાત સુધી વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી અને પછી 11:55 વાગ્યે તેની જલંધરની ઓફિસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 7 માર્ચ 2018ના રોજ પકડ્યો હતો. તે સમયે તપાસ અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને છ ખાણો સાથે સંકળાયેલા 26 લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી. કુદરતદીપનું પણ આ કેસમાં નામ હતું, પરંતુ તેની ક્યારેય ધરપકડ કરવામાં આવી ન હતી. તેને જામીન મળ્યા બાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ત્યારપછીની તપાસમાં તે 'નિર્દોષ' સાબિત થયો હતો.