આજે ભાજપમાં જોડાઇ શકે છે રામકૃપાલ યાદવ

પટણા, 11 માર્ચ: આરજેડીથી સબંધ તોડનાર સાંસદ રામકૃપાલ યાદવ મંગળવારે ભાજપમાં જોડાઇ શકે છે. તેમણે થોડા દિવસો પહેલાં પાર્ટી હાઇકમાન્ડથી નારાજ થઇને પાર્ટી છોડી દિધી હતી. તેમના ભાજપમાં જોડાવવાની ચર્ચા આમ તો ઘણા દિવસોથી થઇ રહી હતી પરંતુ આજે આના મોહર લાગી શકે છે. આ પહેલાં લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાસના પુત્રએ તેમને એનડીએનો ભાગ બનવાનું આમંત્રણ આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ દ્વારા બિહારમાં લોકસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી યાદીને લઇને રામકૃપાલ યાદવની પાર્ટી સાથે બગાવત સામે આવી છે. યાદીમાં લાલૂ યાદવે પાટલિપુત્ર સીટ પરથી પોતાની પુત્રી મીસા ભારતીને ઉમેદવાર બનાવી હતી. આ વાતને લઇને નારાજ રામકૃપાલ યાદવે પાર્ટી અધ્યક્ષ પર કેટલાક આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ આરજેડીની લડાઇ ખુલીને સામે આવી હતી.

ram-kripal-yadav-1

ત્યારબાદ નારાજ રામકૃપાલને મનાવવા માટે મીસાએ પણ પહેલ કરી હતી પરંતુ વાત બની ન હતી. એટલું જ નહી રામકૃપાલે આ આખી ઘટનાને એક રાજકીય નાટક કહી દિધું હતું. રામકૃપાલ યાદવથી નારાજ લાલૂ પ્રસાદ યાદવે પણ સ્પષ્ટ કરી દિધું હતું કે રેસ વચ્ચે ક્યારે ઘોડો બદલી ના શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X