26/11: પાકમાં ધુમી રહ્યાં છે માસ્ટરમાઇન્ડ ને તેના સાથી
પાંચ દિવસ પહેલા મુંબઇ આતંકી હુમલામાં પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસી આપવામાં આવી. આ ખબર આવતા જ આખા દેશમાં દીવાળીનો માહોલ સર્જાયો. થોડાક દિવસો સુધી એ લોકોના દિલને રાહત પહોંચી, જેમણે 26/11 2008 એ પોતાના સ્વજનોને ખોયા હતા, પરંતુ ખરી રીતે જોવામા આવે તો હજુ 26/11નો બદલો પૂરો થયો નથી. આજે પણ લશ્કરના સંસ્થાપક અને આ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.
પાકિસ્તાન સરકારે કસાબનો મૃતદેહ લેવાનો એમ કહીને ઇન્કાર કરી દીધો કે તે તેમના દેશનો નથી. બીજી તરફ હાઇફ સઇદે બે દિવસ પહેલા હજારો લોકો સાથે ઉભા રહીને કસાબને શ્રદ્ધાજંલિ આપી હતી. કસાબને પાકિસ્તાનમાં ઘયાબાના નમાજ એ જનાજા રજૂ કરવામાં આવ્યો. કસાબને આ શ્રદ્ધાજંલિ લાહોર નજીક મુરીદકે સ્થતિત જમાત ઉદ દાવાના મુખ્યાલય પર બે દિવસની આતંકી શિબિરની સમાપ્તિ દરમિયાન આપવામાં આવી.
26/11 હુમલામાં 166 લોકોને મોતના મુખમાં ધકેલી દેનારા 10 આતંકીમાંથી માત્ર કસાબ જ પકડાયો હતો જ્યારે બાકી બધા ઠાર મરાયા હતા. તો માસ્ટર માઇન્ડ અને તેના 10 સાથી હજુ પણ જીવીત છે. જ્યાં સુધી આ 10 આતંકીઓ જીવીત છે, ત્યાં સુધી મુંબઇ હુમલાના પીડિતોને ન્યાય નહીં મળી શકે.
અફસોસ એ વાતનો છે કે આ જણતા હોવા છતાં પણ હાફિઝ સઇદ, જકીઉર રહમાન લખવી, મેજર સમીર અલી સહિત ઘણા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ભારત સરકારે પાડોશી દેશ સાથે મિત્રતા સભર સંબંધો બનાવવા માટે વારંવાર હાથ વધારી રહી છે, ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણીનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કસાબને ફાંસી આપવામાં આવી ત્યારે આપણા વિદેશમંત્રી પાકિસ્તાન જવાના હતા. વારંવાર પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા કરતા વધારે જરૂરી છે પીડિતોને ન્યાય અપાવો.
26/11 હુમલામાં કોણે શું કર્યું?

હાફિઝ સઇદ
લશ્કરના સંસ્થાપક હાફિઝ સઇદે 26/11 હુમલાની યોજના બનાવી અને કોણે શું કરવાનું છે તે નક્કી કર્યું. સઇદે જ ભારત આવેલા 10 આતંકીઓને ટ્રેનિંગ આપી હતી. ભારતે સઇદ વિરુદ્ધ ઘણા પુરાવાઓ પાકિસ્તાનને આપ્યા, પરંતુ પાકની કોર્ટ આ પુરાવાઓને માનવા તૈયાર નથી. સઇદ આજે પણ આઝાદ છે. ભારત અને અમેરિકાએ સઇધ પર એક કરોડ ડોલરનુ ઇનામ રાખ્યું છે.

જકી ઉર રહેમાન લખવી
લશ્કરનો આ ઓપરેશનલ કમાન્ડર છે, જેણે 26/11 હુમલાને કોઓર્ડિનેટ કર્યું હતું. જે સમયે કસાબ સહિત 10 આતંકીઓ હુમલાને અંજામ આપી રહ્યાં હતા ત્યારે તેમને કરાચીના કંટ્રોલ રૂમમાં બેસીને લખવી દિશા નિર્દેશ આપી રહ્યો હતો.

સાજીદ મીર
સાજીદ મીર પણ લશ્કરનો કમાન્ડર છે. જેણે કંટ્રોલ રૂમમાં બેસીને એ લોકોને દિશા નિર્દેશ કર્યો હતો જે હુમલા પહેલાની તૈયારી કરવા ગયા હતા. આ એ જ વ્યક્તિ છે, જેણે લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો.

અબ્દુર રહમાન હાશિમ સૈયદ
આ એ વ્યક્તિ છે, જેણે 26/11 હુમલાનુ અધ્યયન કર્યું અને એ જ શ્રેણીમાં ઘણા અન્ય હુમલાઓ કરવાની તૈયારી કરી. તે હજુ પણ આઝાદ છે.

મેજર ઇકબાલ
આઇએસઆઇના મેજર ઇક્બાલ પણ તે સમયે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત હતા. ઇક્બાલે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાનનું કહેવું છેકે આઇએસઆઇમાં મેજર ઇક્બાલ નામની કોઇ વ્યક્તિ નથી.

અબુ જુંદાલ
અબુ જુંદાલ એક માત્ર ભારતીય છે, જે કંટ્રોલ રૂમમાં એ સમયે ઉપસ્થિત હતો. તેણે તમામ 10 આતંકીઓને હિન્દી શિખવ્યું હતું. તેણે મુંબઇમાં કેવી રીતે વાત કરવાની છે, તે શિખવ્યું હતું. આ સાઉદી અરબમાંથી પકડાયો હતો, જે હાલ હિરાસતમાં છે.

ડેવિડ હેડલી
આ આતંકીનો જન્મ પાકિસ્તાનમાં થયો અને પછી તે અમેરિકા જતો રહ્યો. ત્યાંની નાગરિકતા હાસલ કરી. ત્યારબાદ ભારત આવ્યો અને હોટલ તાજ, હોટલ ઓબરોય, નરીમન હાઉસ અને લિયોપોલ્ડ કાફે ગયો અને ત્યાંતિને જાણવાનું કામ કર્યું. ત્યાંથી ગયા બાગ તેણે પ્લાન બનાવવા માટે આઇએસઆઇ અને લશ્કરને મદદ કરી. હેડલી હાલ અમેરિકાની જેલમાં છે.

મેજર સમીર અલી
આઇએસઆઇના વધુ એક અધિકારીનું નામ છે મેજર સમીર અલી, જેમે હુમલાવરોને ટ્રેનિંગ આપી હતી. પાકિસ્તાન હજુ પણ એ માનવા તૈયાર નથી કે મેજર સમીર અલી નામની વ્યક્તિ કોઇ વ્યક્તિ છે.

અબૂ હમજા
અબૂ હમજા 26/11 હુમલાવરોનો મુખ્ય ટ્રેનર હતો. આ એ વ્યક્તિ છે જેણે આઇએસઆઇ બેંગ્લોરમાં હુમલો કર્યો હતો. આ પણ તે સમયે કંટ્રોલ રૂમમા હતો.

જરાર શાહ
લશ્કર એ તૈયબાના ચીફ કમાન્ડર ક્મ્યુનિકેશન જરાર શાહે આતંકીઓને સમુદ્રના રસ્તા જતી વખતે સંપર્ક સાધવાની ટ્રેનિંગ આપી હતી. એ વાત હાલ સચોટપણે કહી શકાય નહીં કે તે પાક જેલમાં છે કે આઝાદ ફરી રહ્યો છે.

તહવ્વુર હૂસૈન રાણા
તહવ્વુર હૂસૈન રાણા પાકિસ્તાની આતંકવાદી છે, જે કેનેડામાં રહેતો હતો. તેણે ડેવિડ હેડલીને મુંબઇ આવવા માટે મદદ કરી હતી. આ વ્યક્તિ એ તેને પૈસાની વ્યવસ્થા પણ કરાવી હતી.

અજમલ કાસબ અને 10 આતંકી
સાચું માનો તો અજમલ કસાબ અને તેના 10 સાથી હાફિઝ સઇદથી લઇને રાણા સુધીના લોકોની કઠપૂતળી બન્યા અને એકે-47 લઇને મુંબઇમાં ઘુસી ગયા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
