Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિતિન ગડકરીએ આરટીઆઇ કાર્યકર્તા અંજલિને નોટીસ ફટકારી

nitin gadkari
સૂરજકુંડ, 28 સપ્ટેમ્બર: ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીએ ગુરૂવારે આરટીઆઇ કાર્યકર્તા અંજલિ દામિનિયાના આરોપોનું ખંડન કરતા તેમને નોટીસ મોકલી આપી માફી માંગવા માટે કહ્યું છે અને જો આમ કરવામાં નહી આવે તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે. ગડકરીએ ગુરૂવારે પોતાના વકીલ એસ એસ શમશેરીના માધ્યમથી અંજલિને જે નોટીસ ફટકારી તેની કોપી મીડિયાકર્મીઓને સોંપી હતી.

નોટીસમાં કહેવામાં આવ્યું છે કે પ્રજા અને દેશમાં ગડકરીની સારી છબિ છે. તેમને દેશમાં કૃષિક્ષેત્રે સારૂ કામ કર્યું છે પરંતુ તમે (અંજલિએ) ગડકરીને ખોટા, નિરાધાર અને અપમાનજનક નિવેદન આપી તેમની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે મુંબઇની આરટીઆઇ કાર્યકર્તા અંજલિએ ગડકરીનું નામ લીધા વિના આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેમને મહારાષ્ટ્ર સિંચાઇ પરિયોજનામાં અનિયમતતાઓના કારણે વિપક્ષી દળના રાષ્ટ્રીય અધ્યક્ષનો સંપર્ક કર્યો હતો તો તેમને કથિત રીતે એમ કહ્યું હતું કે તે કંઇપણ કરી શકે તેમ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે તેમને ગાઢ સંબંધો છે અને તેમાં તે કંઇપણ કરી શકે તેમ નથી. મીડીયા સમક્ષ લગાવવામાં આવ્યા અંજલિના આ આરોપો ભાજપના અધ્યક્ષના નામ સાથે જોડીને જોવામાં આવે છે.

નોટીસમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સિંચાઇ ગોટાળાને લઇને રાજ્યની ભાજપ એકમે જ સૌથી પહેલાં તથ્યો ઉજાગર કરવામાં આવ્યાં હતા. શમશેરીએ અંજલિને કહ્યું છે કે તે તાત્કાલીક પોતાનું નિવેદન પાછું ખેંચી સાર્વજનિક રીતે માફી માંગે નહીંતર તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X