નિતિન ગડકરીએ આરટીઆઇ કાર્યકર્તા અંજલિને નોટીસ ફટકારી

નોટીસમાં કહેવામાં આવ્યું છે કે પ્રજા અને દેશમાં ગડકરીની સારી છબિ છે. તેમને દેશમાં કૃષિક્ષેત્રે સારૂ કામ કર્યું છે પરંતુ તમે (અંજલિએ) ગડકરીને ખોટા, નિરાધાર અને અપમાનજનક નિવેદન આપી તેમની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે મુંબઇની આરટીઆઇ કાર્યકર્તા અંજલિએ ગડકરીનું નામ લીધા વિના આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેમને મહારાષ્ટ્ર સિંચાઇ પરિયોજનામાં અનિયમતતાઓના કારણે વિપક્ષી દળના રાષ્ટ્રીય અધ્યક્ષનો સંપર્ક કર્યો હતો તો તેમને કથિત રીતે એમ કહ્યું હતું કે તે કંઇપણ કરી શકે તેમ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે તેમને ગાઢ સંબંધો છે અને તેમાં તે કંઇપણ કરી શકે તેમ નથી. મીડીયા સમક્ષ લગાવવામાં આવ્યા અંજલિના આ આરોપો ભાજપના અધ્યક્ષના નામ સાથે જોડીને જોવામાં આવે છે.
નોટીસમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સિંચાઇ ગોટાળાને લઇને રાજ્યની ભાજપ એકમે જ સૌથી પહેલાં તથ્યો ઉજાગર કરવામાં આવ્યાં હતા. શમશેરીએ અંજલિને કહ્યું છે કે તે તાત્કાલીક પોતાનું નિવેદન પાછું ખેંચી સાર્વજનિક રીતે માફી માંગે નહીંતર તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
