બ્રિટનમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત કરાયા ગાયત્રી ઈસ્સર કુમાર
ગાયત્રી ઈસ્સર કુમાર મંગળવારે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગાયત્રી ઈસ્સર કુમાર મંગળવારે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે વર્તમાનમાં બેલ્જિયમ, લક્સમબર્ગના ભવ્ય ડર્ચી અને યુરોપીય સંઘ માટે ભારતના રાજદૂત છે. 1986 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી ગાયત્રી યુકેમાં ભારતના વર્તમાન રાજદૂત રુચિ ઘનશ્યામની જગ્યા લેશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી ગાયત્રી ઈસ્સર કુમારને ગઈ 13 જૂન 2017ના રોજ કિંગડમ ઑફ બેલ્જિયમમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગાયત્રી ઈસ્સર કુમાર વર્તમાનમાં બેલ્જિયમમાં ભારતના રાજદૂત છે અને તેમને વર્ષ 2017માં લક્સબર્મના ગ્રાન્ડ ડચી અને યુરોપીય સંઘના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Gaitri I. Kumar, presently Ambassador of India to the Kingdom of Belgium, the Grand Duchy of Luxembourg and the European Union has been appointed as the next High Commissioner of India to the United Kingdom
— ANI (@ANI) June 2, 2020
ભારતમાં અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે 95,527 કોરોના દર્દી, રિકવરી દર 48.07%