ભારત પ્રવાસે આવી શકે છે જર્મન ચાંસલર ઓલાફ શૉલ્જ, રાજદૂતે આપ્યા સંદેત
જર્મનીના ચાંસલર ઓલાફ શોલ્જ વર્ષની શરુઆતમાં ભારતના પ્રવાસે આવશે. આ અંગેની મહિતી દુતાવાસ તરફથી આપવામાં આવી છે. આ પહેલા જર્મનીના વિદેશ મંત્રી નવેમ્બરમાં ભારતના પ્રવાસે આવ્યા હતા.
જર્મન ચાન્સલર ઓલાફ શોલ્જ ભારતના પ્રવાસે આવી શકે છે. એએનઆઇના સૂત્રોના માધ્યમથી માહિતી આપી છે કે, આ વર્ષેની શરુઆતમાં જર્મન ચાંસલર ભારતના પ્રવાસે આવી શકે છે. આ પહેલા ભારતમાં જર્મન રાજદૂત ફિલિપ એકરમૈને નવેમ્બરમાં કહ્યુ હતુ કે, શોલ્જ ભારતની દ્વીપક્ષીય યાત્રાનું આયોજન કરી રહ્યુ છે.

એકરમૈનને 30 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ચાંસલર 2022 માં ભારતની યાત્રાનું આયોજન કરી રહ્યા છે. એકરમૈને કહ્યુ છે કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે વાર જર્મનની પ્રવાસે કરી ચૂક્યા છે" એટલે જર્મન ચાંસલર કેમ બે વાર ના આવે ભારત સુંદર જગ્યા છે. હુ ત્યાં સુધી કહીશ કે ત્રણ વાર ભારત જાવ"
ગયા વર્ષે પીએમ મોદીએ ચાંસલર સાથે મુલાકાત કરી હતી
ગયા વર્ષે પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ બાલીમાં જી20 માં શિખર સંમ્મેલનમાં ચાંસલર ઓલાફ શોલ્જ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આર્થિક સંબધો, રક્ષા સહયોગ અને અ્ય મહત્વપૂર્ણ મુદ્દાને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગયા વર્ષે 2 મે ના રોજ 6 ભારત જર્મન અંતર સરકારી પરામર્શ માટે બોર્લિનનો પ્રાવાસ કર્યો હતો. ત્યાર બાદ ચાંસલર શોલ્જના નિશાના પર જી7 શિખર સમ્મેલન માટે જર્મનીમાં લ્શોસ અલ્મોની તમનો પ્રવાસ થયો હતો.
કાશ્મીર પર વિદેશ મંત્રીએ નિવેદન બદલ્યુ
તમને જણાવી દઇએ કે ભારતના સંબંધો પશ્ચિમ સાથે સારા થયા છે. જર્મન આ મામલે અપવાદ સાબિત થયો છે. ભારત અને જર્મનની સંબંધોમાં કડવાહટ ત્યારે આવી ગઇ હતી કે, જ્યારે વિદેશ મંત્રી એનાલીના બેયરબોકે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કાશ્માર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રના માધ્યથી વાતચીતનું સમર્થન કર્યુ હતુ. ભારતે તેના પર નારાજગી વ્યક્ત કરતા જર્મન મંત્રીને પોતાનું નિવેદન પરત લેવુ પડ્યુ હતુ. ભારત પ્રવાસ પર આવતા પહેલા બેયરબોકે પોતાના રુખમાં બદલાવ લાવતા કાશ્મીરને એક દ્વીપક્ષીય મુદ્દો ગણાવ્યુ હતો. એનાલીના બેયરબોક ડેસેમ્બરની શરુઆતમાં બે દિવયીય ભારત યાત્રા પર આવી હતી.












Click it and Unblock the Notifications
