નાગરિકતા બિલ પાસ ન થયુ તો ઝીણા પાસે જતુ રહેશે આસામઃ ભાજપ મંત્રી
બિલના વિરોધ બાદ અસમના ભાજપ મંત્રી હેમંત વિશ્વ શર્માના વર્તમાન નિવેદન પર રાજકારણ વધુ ગરમાઈ શકે છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાગરિકતા બિલ આજે સંસદમાં રજૂ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સંશોધન બિલ અંગે પહેલેથી જ ઘણો હોબાળો થતો રહ્યો છે. વળી, બિલના વિરોધ બાદ અસમના ભાજપ મંત્રી હેમંત વિશ્વ શર્માના વર્તમાન નિવેદન પર રાજકારણ વધુ ગરમાઈ શકે છે. ભાજપના મંત્રીએ કહ્યુ છે કે જો બિલ પાસ ન થયુ તો અસર ઝીણા પાસે જતુ રહેશે.
તેમણે કહ્યુ કે લોકો ચિંતિત છે કે અમે કોઈ બહારનાને લાવવાની કોશિશ કરી રહ્યા છે તે ખોટુ છે. નાગરિકતા બિલ પાસ ન થવાની સ્થિતિમાં આપણે પોતાને ઝીણાના દર્શન માટે આત્મસમર્પણ કરી રહ્યા છે. આ ઝીણા અને ભારતના વારસા વચ્ચેની લડાઈ છે. આ બિલની ચર્ચા પીએમ મોદીએ પણ સિલચરની રેલીમાં કરી હતી. તેમણે આ વહેંચણીને ભૂલોનું પ્રાયશ્ચિત ગણાવ્યુ હતુ.
નાગરિકતા બિલમાં રહેવાનો સમય ઘટાડીને 6 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી છે. નાગરિકતા બિલમાં અનિવાર્ય રૂપે ત્રણ દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લઘુમતીઓ (કે બિન મુસ્લિમ) અપ્રવાસીઓને ભારતીય નાગરિક બનાવવાનો પ્રસ્તાવ છે. અસમમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. એજીપી પણ બિલના વિરોધમાં છે. વિપક્ષી દળોનું કહેવુ છે કે આ બિલમાં ધાર્મિક ઓળખને પ્રમુખતૈ આપવામાં આવી છે અને આ બિલ બંધારણના આર્ટિકલ 14ની મૂળ ભાવનાથી વિપરિત છે.
આ પણ વાંચોઃ અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ