Ghosi By Election : મઉના ડીએમને ધમકી મળી, ફરિયાદ દાખલ કરાઈ
ઉત્તર પ્રદેશની મઉની ઘોસી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. જો કે મતદાન દરમિયાન એક વિવાદ પણ સામે આવ્યો છે. મઉના ડીએમને ધમકી મળતા ફરિયાદ દાખલ કરાઈ હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ મઉ અરુણ કુમારે ઘોસી વિધાનસભાના ઘણા બૂથનું નિરીક્ષણ કરીને ટ્વિટર પર ફોટો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ ટ્વિટ પર એક ધમકી ભરેલી કોમેન્ટ આવતા ફરિયાદ દાખલ કરાઈ છે.

આ જ ટ્વિટ પર જ્યોતિ યાદવ નામના યુઝરે જિલ્લા મેજિસ્ટ્રેટની પોસ્ટ પર ધમકીભરી ટિપ્પણી કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટેની ધમકીભરી ટિપ્પણી મળ્યા બાદ આ બાબતની નોંધ લેતા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રચાયેલી MCMCના પેનલ ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પાંડે દ્વારા કોતવાલી પોલીસ સ્ટેશનમાં જ્યોતિ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પોલીસે IPCની કલમ 506, 507, 171F, 171G હેઠળ કેસ નોંધ્યો છે.
મઉ જિલ્લા અધિકારી અરુણ કુમાર મતદાન દરમિયાન વિવિધ બૂથનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. વિધાનસભા ક્ષેત્રનું નિરીક્ષણ કર્યા પછી સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો ટ્વીટ કર્યો અને લખ્યું કે, વિધાનસભા ક્ષેત્ર ઘોસીમાં આવતીકાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને, આજે મેં વિવિધ બૂથનું નિરીક્ષણ કર્યું. તમામ સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી છે.
આ ટ્વિટ પર જ્યોતિ નામના ર યુઝરે લખ્યું કે, હું મઉ ડીએમ સાહેબને સીધી ચેતવણી આપું છું, જો કોઈપણ રીતે એસપી મતદારો પર લાઠીચાર્જ અથવા મતદાન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તમે સમજો છો, આ વાત યાદ રાખજો, જ્યારે સપાની સરકારમાં આવશે ત્યારે તમે તમારી નોકરી ગુમાવશો. 2026માં અખિલેશની સરકાર બનશે કે તરત જ તમને તમારી વાસ્તવિક સ્થિતિ બતાવવામાં આવશે.
ટ્વિટર યુઝરે યુપીના પૂર્વ સીએમ અને સપાના વડા અખિલેશ યાદવનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. આ ટ્વિટ બાદ અધિકારીઓ એક્શનમાં આવ્યા અને યુઝર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યુ કે, કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સાયબર અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
