ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીર અને રાધાકૃષ્ણ બન્યા લદ્દાખના લેફ્ટીનેન્ટ ગવર્નર
ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીર અને રાધાકૃષ્ણ બન્યા લદ્દાખના લેફ્ટીનેન્ટ ગવર્નર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવામાં આવ્યા બાદ સરકારે બંને રાજ્યો માટે શુક્રવારે લેફ્ટીનેન્ટ ગવર્નર નિયુક્ત કરી દીધા. ગિરિશ ચંદ્ર મુર્મને જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટીનેન્ટ ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાધાકૃષ્ણ માથુરને લદ્દાખના લેફ્ટીનેન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
સત્તાવાર પ્રવક્તા મુજબ આઈએએસ અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 1985ની બેચના આઈએએસ અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂ વર્તમાનમાં નાણા મંત્રાલયમાં વ્યય સચિવનું પદ સંભાળી રહ્યા છે. મોદી ગુજરાતના સીએમ હતા એ સમયે ગિરીશ ચંદ્ર મુર્મૂ મોદીના પ્રમુખ સચિવ હતા. બે કેન્દ્ર શાસિત પ્રદેશ 21 ઓક્ટોબરે અસ્તિત્વમાં આવ્યાં. મોદી સરકારે 5 ઓગસ્ટે કલમ 370નું પ્રાવધાન રદ્દ કર્યું હતું જેનાથી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો હતો.
રાધા કૃષ્ણ માથુર 1977 બેચના આઈએએસ છે. તેઓ ત્રિપુરાના કેડરના સેવાનિવૃત્ત અધિકારી છે. રાધા કૃષ્ણ મુથુર નવેમ્બર 2018માં ભારતના મખ્ય સૂચના આયુક્તના રૂપમાં સેવાનિવૃત્ત થયા. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સત્યપાલ મલિક બિહારના પૂર્વ રાજ્યપાલ હતા. મલિકને 2018માં થોડા મહિનાઓ માટે ઓરિસ્સાના એડિશનલ પ્રભાર રાજ્યપાલ બનાવાયા હતા.
જમ્મુ કાશ્મીર: કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત થઇ ચૂંટણી, બીજેપીને મળી આટલી સીટ