આસારામ કેસઃ સગીરાના પુરુષો પ્રત્યે આકર્ષિત થવાની બીમારી
જોધપુર, 18 સપ્ટેમ્બરઃ 16 વર્ષીય સગીરાના યૌન શોષણ મામલે જેલમાં બંધ આસારામની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. આ વચ્ચે આસારામને બચાવવા માટે રામ જેઠમલાણીને કમાન સોંપવામાં આવી છે. જી હા, હવે આસારામને જમાનત માટે દેશના પ્રસિદ્ધ વકીલ રામ જેઠમલાણીએ સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. સોમવારે જોધપુર હાઇકોર્ટમાં રામ જેઠમલાણીએ અંદાજે સવા કલાક સુધી દલીલ કરી. જેઠમલાણીએ એ દલીલો રજૂ કરી જે જિલ્લા અને સંત્ર ન્યાયાલયમા જમાનત યાચિકા પર સુનવણી દરમિયાન બચાવ પક્ષે રજૂ કરી હતી.

નોંધનીય છે કે, સોમવારે જોધપુરની જિલ્લા અદાલતે આસારામ બાપુની ન્યાયિક હરિસાત વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરી દીધી છે. જેના કારણે આસારામ બાપુ હવે 30 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. બીજી તરફ હાઇકોર્ટમાં આસારામની જમાનત અરજી પર 18મી સપ્ટેમ્બર સુનાવણી થશે. અભિયોજન પક્ષના વકીલ પ્રદ્યુમન સિંહએ જણાવ્યું કે બચાવ પક્ષે પોતાની દલીલો સોમવારે પૂરી કરી દીધી. અભિયોજન પક્ષ આગામી સુનાવણી પર પોતાની દલીલો રજૂ કરશે. હાલ આસારામ અને તેમના સેવાદાર શિવાની પણ ન્યાયિક હિરાસત 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. બન્ને હાલ જોધપુરની કેન્દ્રીય જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
