ગ્લાસગો COP26 : PM મોદીનું પંચામૃત સૂત્ર, સમગ્ર વિશ્વને આપ્યો 'LIFE' મંત્ર
ગ્લાસગો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારની રાત્રે ગ્લાસગોમાં 'વર્લ્ડ લીડર્સ સમિટ ઓફ COP 26'ને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ક્લાઈમેટ ચેન્જ પર 'પંચામૃત' સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો.
ગ્લાસગો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારની રાત્રે ગ્લાસગોમાં 'વર્લ્ડ લીડર્સ સમિટ ઓફ COP 26'ને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ક્લાઈમેટ ચેન્જ પર 'પંચામૃત' સૂત્રનો ઉલ્લેખ કર્યો અને દુનિયાને 'લાઈફ' મંત્ર પણ આપ્યો. COP 26માં PM મોદીનું સંપૂર્ણ ભાષણ વાંચો...

'પેરિસ સંગઠિત સમિટ નથી, પરંતુ ભાવના છે'
COP 26ના વર્લ્ડ લીડર્સ સમિટને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે પેરિસમાં યોજાયેલ કાર્યક્રમ શિખર સંમેલન નહીં, પરંતુ એક ભાવના, પ્રતિબદ્ધતા હતી અને ભારત વિશ્વને તે વચનો નથી આપી રહ્યું, પરંતુ તે વચનો 125 કરોડ ભારતીયોને આપ્યા હતા. તે જાતે કરી રહ્યા છીએ. આજે વિશ્વની વસ્તીના 17 ટકા હોવા છતાં, જેમની ઉત્સર્જનની જવાબદારી માત્ર 5 ટકા છે, ત્યારે ભારતે તેની ફરજ નિભાવવામાં કોઈ કસર છોડી નથી.
સંઘચધ્વં સંવિધ્વં સમ વો માનસી જતનમ
પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે હું તમારી વચ્ચે તે ભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, જે ભૂમિએ હજારો વર્ષ પહેલા આ મંત્ર આપ્યો હતો. 'સંઘચધ્વં સંવિધ્વં સમ વો માનસી જતનમ' આજે 21મી સદીમાં આ મંત્ર વધુ પ્રાસંગિક બની ગયો છે. વડાપ્રધાને આ મંત્રનો હિન્દી અર્થ પણ જણાવ્યો, તેમણે કહ્યું કે 'સંઘચધ્વં' એટલે બધાએ સાથે જવું જોઈએ, સંવિધ્વં એટલે બધાએ સાથે મળીને વાતચીત કરવી જોઈએ અને સામ વો માનસી જતનમ એટલે દરેકના મન પણ એકબીજા સાથે મળવા જોઈએ.

'રિન્યુએબલ એનર્જી સંભવિતતામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે'
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને આવ્યો છું. મારા શબ્દો માત્ર શબ્દો નથી, તે ભાવિપેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પોકાર છે.
આજે સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. દર વર્ષે વિશ્વની સમગ્ર વસ્તી કરતા વધુ મુસાફરોભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે.
આ વિશાળ રેલ્વે તંત્રએ 2030 સુધીમાં પોતાને 'નેટ ઝીરો' બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એકલા આ પહેલથી વાર્ષિક 60મિલિયન ટન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
|
મોદીએ દુનિયાને 'LIFE' મંત્ર આપ્યો
આ સાથે વડાપ્રધાને મોદીએ કહ્યું કે, આજે હું તમને એક, એક શબ્દ આંદોલનનો પ્રસ્તાવ મૂકું છું. આ એક શબ્દ આબોહવાના સંદર્ભમાં વિશ્વનો પાયો બની શકે છે, તેપાયો બની શકે છે. તે એક શબ્દ છે - જીવન... L, I, F, E, એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલી.
|
આબોહવા પરિવર્તન પર 'પંચામૃત' સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જળવાયુ પરિવર્તન પરના આ વૈશ્વિક મંથન વચ્ચે, ભારત વતી હું આ પડકારનો સામનો કરવા માટે પાંચ અમૃત તત્વો રાખવા માંગુછું, હું પંચામૃતની ભેટ આપવા માંગુ છું.
પ્રથમ - ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના 500 GW સુધી પહોંચી જશે.
બીજું - ભારત 2030સુધીમાં તેની 50 ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે.
ત્રીજું - ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનોઘટાડો કરશે.
ચોથું - 2030 સુધીમાં ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા ઘટાડીને 45 ટકાથી ઓછી કરશે
પાંચમું - વર્ષ 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનુંલક્ષ્ય હાંસલ કરશે.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ભાર મૂક્યો હતો કે જળવાયુ પરિવર્તન ઘણા વિકાસશીલ દેશોના અસ્તિત્વ માટે એક મોટો ખતરો છે. આપણે વિશ્વને બચાવવામાટે મોટા પગલા ભરવા જોઈએ.
આ સમયની જરૂરિયાત છે અને તે આ પ્લેટફોર્મની પ્રાસંગિકતા સાબિત કરશે. મને આશા છે કે, ગ્લાસગોમાં લીધેલા નિર્ણયો આપણીઆગામી પેઢીઓનું ભવિષ્ય બચાવશે.












Click it and Unblock the Notifications
