Gnanawapi Masjid Case : જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, હિન્દુ પક્ષની તરફેણમાં નિર્ણય આવ્યો
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
Gnanawapi Masjid Case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેચે આ કેસને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે.

કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યુંહતું કે, કેસ જાળવી શકાય છે. કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસના અરજીકર્તા સોહન લાલઆર્યએ કહ્યું કે, આ હિંદુ પક્ષની જીત છે. તે જ્ઞાનવાપી મંદિરનો પાયાનો પથ્થર છે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.

મુસ્લિમ પક્ષે આ કેસને બરતરફ કરવાની માગ કરી
હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી સંકુલમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગીની માંગણીકરવામાં આવી હતી.
આવા સમયે, મુસ્લિમ પક્ષે આ કેસને બરતરફ કરવાની માગ કરી હતી, દલીલ કરી હતી કે, તે કોર્ટમાં જાળવવા યોગ્યનથી. મુસ્લિમ પક્ષની દલીલને નકારી કાઢતાં કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07નિયમ 11 હેઠળ થઈ શકે છે.
બીજી તરફ અરજદાર મંજુ વ્યાસે કહ્યું કે, આજે સમગ્ર ભારત ખુશ છે. મારા હિન્દુ ભાઈઓ અને બહેનોએઉજવણી કરવા માટે દીવાઓ પ્રગટાવવી જોઈએ.

મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની રહેવાસી ચાર મહિલાઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમારદિવાકરની કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની દરરોજ પૂજા કરવાનો આદેશઆપવા વિનંતી કરી હતી.
તેમના આદેશ પર ગયા મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આદરમિયાન, મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણને પૂજા અધિનિયમ 1991નું ઉલ્લંઘન ગણાવીને તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીહતી.

કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો
જોકે કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ કેસને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યોહતો.
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ ગત 19 મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું.

મુસ્લિમ પક્ષ ઘણા જૂના દસ્તાવેજો રજૂ કરી રહ્યું છે
આ બાબતને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ ગણાવતા મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે, આ કેસ સુનાવણી માટે યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશે આસંદર્ભે દાખલ કરાયેલી અરજી પર પહેલા સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.
આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે.હિંદુપક્ષનો દાવો છે કે, મુસ્લિમ પક્ષ ઘણા જૂના દસ્તાવેજો રજૂ કરી રહ્યું છે, જે આ બાબત સાથે સંબંધિત નથી.












Click it and Unblock the Notifications
