Google પૂરમાં ફસાયેલા લોકોને શોધવામાં મદદ કરશે
ઉત્તરાખંડ, 21 જૂન : હવે ઉત્તરાખંડમાં કુદરતી હોનારતમાં ફસાયેલા લોકોને જેઓના સ્વજનો નથી શોધી શક્યા તેમને શોધવામાં સરકારની મદદ ઉપરાંત ગૂગલની મદદ પણ મળી રહેશે. આ માટે ગૂગલે સ્પેશ્યલ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. વિશ્વમાં સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલે Google Person Finderની વેબ એપ્લિકેશન દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને શોધી કાઢવાનો માર્ગ લોકોને માટે ઉપલબ્ધ કરાવ્યો છે.

Google Person Finder
સર્ચ એન્જિન ગૂગલે Google Person Finderની વેબ એપ્લિકેશન દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને શોધી કાઢવાનો માર્ગ લોકોને માટે ઉપલબ્ધ કરાવ્યો છે.

ગૂગલનું નવું ટૂલ
આ ટૂલનું ટેસ્ટિંગ જાપાન સુનામી સમયે થયું હતું. હવે તેનો ખરો ઉપયોગ ઉત્તરાખંડના પૂરપીડિતોને શોધવા માટે થશે.

ઉપયોગમાં સરળ
આ ટૂલ ઉપયોગમાં અત્યંત સરળ છે. ભારત માટે તે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સેવા ઉપલબ્ધ કરાવે છે.

વૈશ્વિક સ્તરે ઉપયોગ
આ ટૂલનો કુદરતી આફત સમયે વૈશ્વિક સ્તરે ઉપયોગ કરી શકાય તે માટે તેને 10 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.

સ્ટેટસ કે ડેટા અપ ડેટ કરવો
Google Person Finder વેબ એપ્લિકેશન દ્વારા કોઈ પણ પૂર અસરગ્રસ્ત પોતાનાં સંબંધી, દોસ્ત વિશે સ્ટેટસ પોસ્ટ કરી શકે છે. Google Person Finderમાં જે પણ ડેટા એન્ટર કરાશે તે જનતા માટે ઉપલબ્ધ થશે અને આને ક્યાંયથી પણ એક્સેસ કરી શકાય છે.

કોઇ પણ ઉપયોગ કરી શકશે
આ ટૂલ પ્રેસ એજન્સી, એનજીઓ અને અન્ય લોકોનાં ડેટાબેસમાં જાણકારી નાંખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.
ઉત્તરાખંડનાં પહાડી વિસ્તારમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં સંપર્ક સાધવો શક્ય નથી. કારણ કે પર્વતીય વિસ્તારમાં મોબાઈલ ટાવર કે ઈન્ટરનેટની સુવિધા સરળતાથી ઉપલબ્ધ નથી. ગૂગલની ક્રાઈસિસ ટીમ ગૂગલ પર્સન ફાઇન્ડરનું ટૂલ લાવી છે. આ ટૂલની મદદથી પૂર અસરગ્રસ્ત ઉત્તરાખંડમાં ગુમ થયેલા લોકોને શોધી શકાય છે. ટૂલનું આ વર્ઝન અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. આ વર્ઝન વિશ્વની 10 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.
ગૂગલે તૈયાર કરેલી Google Person Finder વેબ એપ્લિકેશન દ્વારા કોઈ પણ પૂર અસરગ્રસ્ત પોતાનાં સંબંધી, દોસ્ત વિશે સ્ટેટસ પોસ્ટ કરી શકે છે. Google Person Finderમાં જે પણ ડેટા એન્ટર કરાશે તે જનતા માટે ઉપલબ્ધ થશે અને આને ક્યાંયથી પણ એક્સેસ કરી શકાય છે. આ ટૂલ પ્રેસ એજન્સી, એનજીઓ અને અન્ય લોકોનાં ડેટાબેસમાં જાણકારી નાંખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.
તાજેતરમાં કેદારનાથમાં પહેલા કુદરતે વિનાશ વેર્યો અને હવે ખરાબ હવામાનનાં કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. આ માટે સરકારે કેટલીક જગ્યાએ હવામાન સ્વચ્છ થતા જ હેલિકોપ્ટર દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં મરનારાઓની સંખ્યા 150 સુધી પહોંચી ગઈ છે. અને હજુ પણ વિસ્તારમાં 62,000 લોકો ફસાયેલા છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
