Gorakhpur News : CM યોગીએ અધિકારીઓને આપી સુચના, કહ્યું જનતાની સમસ્યાને ગંભીરતાથી લો
Gorakhpur News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારની સવારે ગોરખનાથ મંદિરમાં જનતા દરબારમાં સેંકડો ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળી. મુખ્યમંત્રીએ આ સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે નિર્દેશ આપ્યો હતો.
Gorakhpur News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારની સવારે ગોરખનાથ મંદિરના મહંત દિગ્વિજયનાથ સ્મૃતિ સભાગૃહ સામે લાગેલા જનતા દરબારમાં અનેક ફરિયાદીઓની સમસ્યા સાંભળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને ખાસ નિર્દેશ પણ આપ્યા હતા.

મુખ્યમંત્રીએ અધિકારીઓને ફરિયાદીની સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવા માટે ગંભીર બનવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચાર દિવસના પ્રવાસ દરમિયાન સોમવારે ગોરખપુર પહોંચ્યા હતા.
જનતા દરબારમાં સવારથી જ મોટી સંખ્યામાં ફરિયાદીઓ મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી એક બાદ એક ફરિયાદીઓ પાસે ગયા અને તેમની સમસ્યાઓ જાણી હતી. મુખ્યમંત્રીએ ફરિયાદીઓને ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ દરમિયાન અનેક ફરિયાદીઓ સારવાર માટે પૈસાની માંગણી કરવા આવ્યા હતા. મુખ્યમંત્રીએ અધિકારીઓને તેમની સારવાર માટે પૈસાની જરૂર હોય તેવા લોકો માટે ટૂંક સમયમાં અંદાજ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. પૈસાના અભાવે કોઈપણ દર્દીની સારવાર બંધ ન થવી જોઈએ.
મુખ્યમંત્રીએ જમીન પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદો લઈને આવેલા ફરિયાદીઓને ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, જે કોઈ પણ જમીન પર કબ્જો જમાવી રહ્યો છે, તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. કોઈપણ જમીનનો ગેરકાયદેસર કબ્જો સાંખી લેવામાં આવશે નહીં.
જનતા દરબારમાં ચારસોથી વધુ ફરિયાદીઓ આવ્યા હતા. આ તમામ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળતી વખતે મુખ્યમંત્રી બાળકોને સ્નેહ આપતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીએ તેમને ચોકલેટ અને ટોફી પણ આપી હતી.
પરંપરાગત દિનચર્યા બાદ મુખ્યમંત્રીએ બ્રહ્મમુહૂર્તમાં ગુરુ ગોરક્ષનાથની પૂજા અર્ચના કરી હતી. આ પછી તેમણે બ્રહ્મલિન મહંત અવૈદ્યનાથના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ સવારે સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગાયની સેવા પણ કરી હતી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
