CBI નિર્દેશકની નિમણૂંકમાં સરકારે કર્યાં મહત્વના સૂચનો : સૂત્રો

વર્તમાન કાયદા અંતર્ગત સીબીઆઇના નિર્દેશકની નિમણૂંક કેન્દ્ર સરકાર કરે છે. દરખાસ્તમાં જણાવ્યા અનુસાર સીબીઆઇ નિર્દેશકનો કાર્યકાળ બે થી ત્રણ વર્ષનો હશે. વર્તમાન કાયદામાં સીબીઆઇ નિર્દેશકના કાર્યકાળ માટે કોઇ સમયસીમા નક્કી કરવામાં આવી નથી. સીબીઆઇમાં એક ફરિયાદી નિર્દેશક હશે જે સરકારી વકીલોની નિમણૂંક કરશે.
વર્તમાન કાયદામાં ફરિયાદ નિર્દેશકનો કોઇ ઉલ્લેખ નથી. કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સોગંદનામુ રજૂ કરવાના છે. જેમાં આ તમામ ફેરફારો અંગેના સૂચનનો સમાવેશ કરવામાં આવશે. વડાપ્રધાન અને કેબિનેટથી મંજૂરી મેળવ્યા બાદ સોગંદનામાને સુપ્રીમ કોર્ટમાં સોંપવામાં આવશે.












Click it and Unblock the Notifications
