For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની કબૂલાત : દેશમાં 68 ટકા દૂધ ભેળસેળિયું

|
Google Oneindia Gujarati News

milk
નવી દિલ્હી, 21 ઑક્ટોબર : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશમાં 68 ટકા દૂઘ ભેળસેળવાળું હોય છે, જે ખાદ્ય સુરક્ષાના માપદંડોને અનુરૂપ નથી. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના સ્વામી અચ્યુતાનંદ તીર્થના નેતૃત્વમાં પ્રબુધ્ધ નાગરિકોએ કરેલી જાહેર હિતની અરજીનો જવાબ આપતા દાખલ કરેલા સોગંદનામામાં આ ખુલાસો કર્યો હતો. જાહેર હિતની અરજીમાં સિન્થેટિક અને ભેળસળિયા દૂધ તથા વિવિધ ડેરી ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના સોગંદનામા અનુસાર ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળના સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે શહેરી વિસ્તારોમાં 68 ટકાથી વધારે દૂધ નિર્ધારિત માપદંડો અનુસાર નથી હોતું. માપદંડો અનુસાર દૂધ હોનારા દૂધમાં 66 ટકા દૂધ છૂટક વેચાણવાળું હોય છે.

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે દૂધમાં પાણી ઉપરાંત કેટલાક ડિટર્જન્ટના અંશો પણ મળી આવ્યા છે. માપદંડો અનુસાર નહીં હોવામાં મુખ્યત્વે ગ્લુકોઝ અને દૂધના પાવડરની મેળવણી હોવાનું જાણવા મળ્યું છે.

અરજદારોના વકીલ અનુરાગ તોમરના જણાવ્યા અનુસાર ભેળસેળિયા દૂધ અને તેની બનાવટો વિગેરે બાબતો પર સોગંદનામામાં કશું જ કહેવામાં આવ્યું નથી. સોગંદનામા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં 83 ટકા જેટલું છૂટક દૂધ માપદંડ અનુસાર નથી.

English summary
Government agree : 68 percent milk in the country adulterated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X