સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013 જાહેર કરી

રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013ની જાહેરાત કરતા સમયે ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે સરકાર સાયબર ક્રાઈમ ઓછો કરવા અને પોલિસીને સફળ બનાવવા માટે જરૂરી તમામ પગલા લેશ. આ માટે જો જરૂર પડશે તો ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવશે.
સાયબર નીતિમાં સૂચવવામાં આવેલા પગલાંઓ અનુસાર સાયબર હુમલાઓ ઓછા કરવા માટે મજબૂત સિસ્ટમને ડેવલપ કરવામાં આવશે. એનએસસીએસ એટલે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટેરિયટ સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલા બધા જ વિષયોની તપાસ નોડલ એજન્સી દ્વારા કરવામાં આવશે.
આ અંગે સિબ્બલે જણાવ્યું કે આ સિસ્ટમ ડેવલપ કર્યા પછી સરકાર દ્વારા દેશના દરેક નાગરિક અને સંસ્થાને તેનો લાભ આપવામાં આવશે. સાઈબર વિશેના નિષ્ણાત પવન દુગ્ગલે જણાવ્યું છે કે નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી ઘણી જ મહત્વની છે અને સરકારે તે વિશે ઘણું જ મહત્વનું પગલુ ઉઠાવ્યું છે. આ પોલિસીથી સાયબર સિક્યોરિટી વિશે કેવી નીતિ બનાવવામાં આવશે તેનો ખ્યાલ આવે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
