જેટલી મુસાફરી એટલો જ ટોલ ટેક્સ, સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ દાખલ કરશે સરકાર
Satellite Based Toll system: આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતાના અમલ પહેલા, સરકાર ટોલ માટે સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ દાખલ કરવાનું વિચારી રહી છે, જેના હેઠળ ટોલ પોઈન્ટ દૂર કરવામાં આવશે, અને ડ્રાઇવરોએ માત્ર તેઓના મુસાફરી અંતર માટે જ ટોલ ચૂકવવો પડશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર ટોલ માટે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય, તે પહેલા દેશમાં આ સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ હેઠળ ટોલ પોઈન્ટ દૂર કરવામાં આવશે. લોકોને ક્યાંય રહેવાની જરૂર નહીં પડે.
લોકોના વાહનની નંબર પ્લેટનો ફોટો લેવામાં આવશે, અને તેઓ જ્યાંથી પ્રવેશ કરે છે, અને જ્યાંથી બહાર નીકળે છે, તેના અંતર માટે જ ટોલ લેવામાં આવશે. આ રકમ ડ્રાઈવરના બેંક ખાતામાંથી કાપવામાં આવશે.
અન્ય એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ટોલ બૂથ પરથી દરરોજ સરેરાશ 49 હજાર કરોડ રૂપિયાની વસૂલાત થાય છે. 98.5 ટકા લોકોએ ફાસ્ટેગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, અને 8.13 કરોડ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દરરોજ સરેરાશ 170 થી 200 કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવે છે.
નીતિન ગડકરીએ બીઓટી પ્રોજેક્ટ સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પરિવહન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે 3 લાખ 85 હજાર કરોડ રૂપિયાના 406 પ્રોજેક્ટ બંધ હતા અને 3 લાખ કરોડ રૂપિયાના એનપીએ બેંકોમાં પડ્યા હતા.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેંકના પ્રતિનિધિઓ અને નિષ્ણાતોની બેઠક બોલાવીને ઉકેલ શોધવામાં આવ્યો હતો. અમે 20 ટકા પ્રોજેક્ટ રદ કર્યા છે. એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે, અમે ભારતીય બેંકોને 3 લાખ કરોડ રૂપિયાના
એનપીએથી બચાવ્યા છે. બિલ્ડ ઓપરેટ અને ડિલિવર (BOT) પ્રોજેક્ટ સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારીમાં ઉપયોગમાં લેવાતું
મોડેલ છે.












Click it and Unblock the Notifications
