
પુડુચેરીમાં લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ છે. કોંગ્રેસની સરકાર પડી ભાંગ્યા બાદ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ સપ્તાહની શરૂઆતમાં વિશ્વાસ મત ન મેળવી શકવાના કારણે કોંગ્રેસની નારાયણ સામી સરકાર પડી ગઈ હતી. સરકાર પડી ભાંગ્યા બાદ આશા હતી કે વિપક્ષ પોતાનો દાવો રજૂ કરશે પરંતુ મુખ્ય વિપક્ષી દળ એઆઈડીએમકેએ સરકાર બનાવવાનો એમ કહીને ઈનકાર કરી દીધો કે જલ્દી ચૂંટણી થવાની છે માટે તે ચૂંટણીમાં ઉતરવાનુ પસંદ કરશે. ત્યારબાદ કેન્દ્રએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય કર્યો છે.
2 મતથી પડી હતી સરકાર
સોમવારે 22 માર્ચે રાજ્યપાલના નિર્દેશાનુસાર સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ બહુમત સાબિત કરવાનો હતો પરંતુ મુખ્યમંત્રી વી નારાયણસામી નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસના 9 ધારાસભ્યો અને ડીએમકેના 2 ધારાસભ્યોએ મળીને નારાયણ સામી પાસે 11 ધારાસભ્યોનુ જ સમર્થન હતુ. આમાં સ્પીકરે ઉમેર્યા બાદ પરણ આ સંખ્યા 12 સુધી પહોંચી રહી હતી જ્યારે વર્તમાન સ્થિતિમાં બહુમત માટે 14 સભ્યોની જરૂર છે. રાજ્યપાલે સરકાર પાસે બહુમત ન હોવાની ઘોષણા કરી ત્યારબાદ નારાયણસામીએ રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ. તેના એક દિવસ બાદ એઆઈએડીએમકેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકાર બનાવવાની ઘોષણા કરી દીધી. પાર્ટીએ કહ્યુ કે 10 દિવસમાં ચૂંટણી થવાની છે માટે અમે ચૂંટણીમાં જઈશુ અને લોકતાંત્રિક રીતે સરકાર બનાવીશુ.
જમ્મુ કાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર