For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPના મનમોહન સિંહ છે રાજનાથઃ ગોવિંદાચાર્ય

By Super
|
Google Oneindia Gujarati News

govindacharya
નવી દિલ્હી, 1 એપ્રિલઃ ક્યારેક આરએસએસના થીંક ટેન્ક કહેવાતા ગોવિંદાચાર્યએ ભાજપની નવી ટીપ અંગે કહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે રાજનાથ સિંહ મંદિરની બહાર પ્રસાદ વેંચી રહ્યા છે.

ગોવિંદાચાર્યએ કોંગ્રેસ અને ભાજપની એક સાથે ટીકા કરતા કહ્યું કે રાજનાથ સિંહ ભાજપના મનમોહન સિંહની જેમ કામ કરી રહ્યાં છે. જો કે, રાજનાથ સિંહની નવી ટીમમાં ઉમા ભારતીને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે. જો ગોવિંદાચાર્યની નજીક છે.

નોંધનીય છે કે, ગોવિંદાચાર્યએ નરેન્દ્ર મોદીને લઇને પહેલાથી જ કહ્યું છે કે તે પ્રધાનમંત્રી બનવાને લાયક નથી. તેનાથી સારા પ્રધાનમંત્રી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સાબિત થઇ શકે છે. મોદીને ભાજપની સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજકીય ચિંતક તરીકે ચર્ચિત કેએન ગોવિંદાચાર્ય દેશમાં નવા રાજકીય વિકલ્પ રજૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે. તેથી તેમણે 350 રાજકીય વ્યક્તિઓ અને સમૂહોને ચિન્હિત કર્યા છે. જેને જોડવાની મુહિમ ચાલી રહી છે. એપ્રિલના અંતમાં એક લઘુ ગોલમેજ સંમેલન પણ થશે.

English summary
On comparisons between Rajnath Singh and Manmohan Singh, he said, In such a situation of flux, conflict, double talk, and conspiracy, naturally, somebody may emerge from the hat of Santa Clauses again as a natural choice, a compulsory choice , a rejected choice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X