'સંસદ પર હુમલામાં સરકારનો હાથ'

parliament
નવી દિલ્હી, 14 જુલાઇઃ ગૃહમંત્રાલયના એક પૂર્વ અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, ઇશરત જહાં એન્કાઉન્ટર મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇ-એસઆઇટી ટીમમાં એક અધિકારીએ તત્કાલિન સરકાર પર સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ગૃહ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહેલા આર.વી.એસ મણિએ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એફિડેટિટ દાખલ કરી હતી.

મણિનું કહેવુ છે કે સીબીઆઇ-એસઆઇટી ટીમના સભ્ય રહેલા સતીશ વર્માએ તેમને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી કાયદાને મજબૂત કરવા માટે જ સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. મણિએ વર્માના હવાલાથી જણાવ્યું કે, 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયા બાદ પોટા લાગૂ કરવામાં આવ્યો.

ત્યારબાદ 26 નવેમ્બર 2008માં હુમલો થયો. ત્યારબાદ યુપીએ કાયદામાં સંશોધન થયું. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી વર્માએ મણિના આરોપો પર કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એક સમાચારપત્રને વર્માએ જણાવ્યું કે, મને માહિતી નથી કે શું ફરિયાદ છે અને કોણે કરી છે. હું એ અંગે ઉસ્તુક પણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X