For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સંસદ પર હુમલામાં સરકારનો હાથ'

By Super
|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 14 જુલાઇઃ ગૃહમંત્રાલયના એક પૂર્વ અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, ઇશરત જહાં એન્કાઉન્ટર મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇ-એસઆઇટી ટીમમાં એક અધિકારીએ તત્કાલિન સરકાર પર સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ગૃહ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહેલા આર.વી.એસ મણિએ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એફિડેટિટ દાખલ કરી હતી.

મણિનું કહેવુ છે કે સીબીઆઇ-એસઆઇટી ટીમના સભ્ય રહેલા સતીશ વર્માએ તેમને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી કાયદાને મજબૂત કરવા માટે જ સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. મણિએ વર્માના હવાલાથી જણાવ્યું કે, 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયા બાદ પોટા લાગૂ કરવામાં આવ્યો.

ત્યારબાદ 26 નવેમ્બર 2008માં હુમલો થયો. ત્યારબાદ યુપીએ કાયદામાં સંશોધન થયું. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી વર્માએ મણિના આરોપો પર કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એક સમાચારપત્રને વર્માએ જણાવ્યું કે, મને માહિતી નથી કે શું ફરિયાદ છે અને કોણે કરી છે. હું એ અંગે ઉસ્તુક પણ નથી.

English summary
former home ministry officer has alleged that a member of the CBI SIT team had accused incumbent governments of "orchestrating" the terror attack on Parliament and the 26/11 carnage in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X